Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક દીપન ભદ્રનએ માથાભારે ઇસમોની ગુનાખોરી અંકુશમાં રાખવા જામનગર જીલ્લામાંથી તડીપાર હદપાર કરવાની સુચના આપેલ હોય જે અનુસંધાને એએસપી નીતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ જામનગર સીટી બી ડીવી. પોલીસ મથક વિસ્તારના રાંદલનગર, ખોડીયાર ડેરી પાસે રહેતો બળદેવસિંહ ઉર્ફે બહાદુરસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજા અવારનવાર રાંદલનગર તથા પટેલ કોલોની વિસ્તારમાં તકરાર તોફાન કરી હત્યાની કોશિશ હુમલા સહિતના શરીર સબંધી ગુન્હાઓ આચરતો હોય અને પોતાની ગુનાખોરી ચાલુ રાખતા મજકુરના ક્રાઇમ રેકર્ડ પરથી પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે દ્વારા ફેબ્રુઆરી 2021 માં આ શખ્સ વિરુધ્ધમાં ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 56 (ખ) મુજબ જામનગર, રાજકોટ, દેવભુમી દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ જીલ્લામાંથી તડીપારની દરખાસ્ત એસડીએમ જામનગર શહેરને મોકલવામાં આવી હતી,
આ દરખાસ્ત કેસ જામ શહેર એસડીએમની કોર્ટમાં ચાલી જતા આ શખ્સને છ માસ માટે ચાર જીલ્લામાંથી હદપાર કરી જામનગર, રાજકોટ, દેવભુમી દ્રારકા, અને મોરબી જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે અને ભાવનગર જીલ્લા ખાતે મુકવા તજવીજ કરવામાં આવેલ છે. આ કામગીર પોલીસ ઈન્સ, કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા એ.એસ.આઇ. મહેશસિંહ વાળા, પો.હેડ કોન્સ. અર્જુનસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, શોભરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.