જામનગર: ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા હાથ ધરાયેલા અભિયાનને મળી મહત્વની સફળતા
MLA દ્વારા દત્તક લેવાયેલા 251 અતિ કુપોષિત બાળકો પૈકી 230 બાળકોને પોષિત બનાવી દેવાયાનો પુરુષાર્થ સાર્થક થયો

Mysamachar.in:જામનગર
જામનગર દક્ષીણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશઅકબરી કે જેઓએએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અતિ મહત્વના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાનને આગળ ધપાવવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા 251 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જે પૈકીના 230 બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી છે. એટલુંજ માત્ર નહીં, તેઓએ ફરીથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વધુ 134 અતિ કુપોષિત બાળકોને દતક લીધા છે, અને તેઓની સાર સંભાળની જવાબદારી સ્વીકારી છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેમણે પોતાના જન્મદિવસની ઉજવણી એક માત્ર સેવા પ્રકલ્પો જ હાથ ધરવાના ભાગરૂપે ગત 14/01/2023 ના રોજ પોતાના જ મતવિસ્તારમાં આવતી જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખાની આંગણવાડી કેન્દ્રમાંથી કુલ 251 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલા હતા.
જે તમામ બાળકોને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને જાન્યુઆરી માસથી સપ્ટેમ્બર માસ સુધી પ્રત્યેક બાળકોની કે જાતેજ સાર સંભાળ રાખવામાં આવી હતી, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી, અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવામાં આખરે સફળતા સાંપડી છે. તેઓની અથાગ જહેમત અને બાળકોના સ્વાસ્થ્ય સુધારા માટેના જરૂરી પગલાઓને લઈને 251 બાળકોમાં ધીમે ધીમે સુધારો આવ્યો છે, અને બાળકોની વારંવારની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી અને જરૂરી સાર સંભાળના અંતે કુલ 230 જેટલા બાળકોને અતિ કૂ પોષિતમાંથી પોષિત બનાવવા માટેની મોટી સફળતા સાંપડી છે.
હાલમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના મતવિસ્તારની આંગણવાડીઓમાંથી પ્રાથમિક તપાસ કરતાં નવા 134 અતિ કુપોષીત બાળકો આરોગ્યની ચકાસણી દરમિયાન મળી આવ્યા હતા. જે તમામ બાળકોને ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દિવ્યેશદ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે, તેમજ આ તમામ બાળકોને અતિ કૂપોષિતમાંથી સામાન્યમાં ન આવી જાય ત્યાં સુધી દર મહિને પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે, તેવો ફરી સંકલ્પ કરવામાં આવ્યો છે. ઉપરાંત અતિ કુપોષિત બાળકોના વાલીઓ સાથે સતત પરામર્ષ કરી જરૂર પડ્યે સીએમટીસી સેન્ટરમાં રીફર કરવા માટેના પણ તેઓ દ્વારા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની જહેમત રંગ લાવી છે, જેથી બાળકોના વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.