Mysamachar.in-જામનગર
એક તરફ યુ.પી.ના હાથરસમાં સામુહિક દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યાં જ ગુજરાતના જામનગરના યાદવનગર સગીરા સામુહિક દુષ્કર્મ કેસના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે, અને યાદવનગરમાં એક સગીરાને ચાર ચાર નરાધમોએ પીંખી નાખ્યાની ઘટનામાં પોલીસે ફરાર એક આરોપીને ઝડપી પાડતા તમામ ચારેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે, સામુહિક દુષ્કર્મના આરોપીઓમાં થી ત્રણ આરોપીઓ દર્શન ઘેલુભાઈ ભાટિયા, મિલન ડાડુભાઈ ભાટિયા, અને દેવકરણ જેશાભાઈ ગઢવીને ઝડપી પાડવામાં આવ્યા બાદ ફરાર મોહિત આંબલીયાને ગતરાત્રીના એલ.સી.બી. ટીમે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામેથી ઝડપી લીધો છે, ઝડપાયેલા આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે.