Mysamachar.in-જામનગર:
રાઘવજી પટેલ એટલે એક એવું નામ છે જેને હંમેશા ગ્રામીણ ક્ષેત્રની પ્રજાના હિતમાં જે કાઈ થાય તે કરી છૂટવું તેવુ એક જ ધ્યેય નજર સમક્ષ રાખ્યું છે, 24 કલાક 365 દિવસ રાઘવજી પટેલ હમેશા ગ્રામીણ પ્રજાની ચિંતા કરતો જીવ છે.અને એટલે જ લોકો આ વખતની વિધાનસભાની ચુંટણીઓમાં અન્ય પક્ષની વાતોમાં ભોળવાઈ અને મત વેડફી નાખવાને બદલે પ્રજાનો સાચો પ્રતિનિધિ તેવા રાઘવજી પટેલને વેલકમ કરી રહ્યાનું ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોના રીવ્યુ લેતા જાણવા મળે છે.
એવુ કહેવાય છે કે નેતા હોય તે રાજકીય બાબત માટે જ હોય છે પરંતુ જ્યારે જે નેતા આગેવાન પ્રજાપ્રતિનિધી માનવતાનો સાદ ઝીલી જાહેરજીવનમા સ્ટેપ બાય સ્ટેપ આગળ આવ્યા હોય તેમને જીવનના તડકા છાયાની ખબર હોય દરેક સંજોગોની ખબર હોય જીવનના પાસાઓની ખબર હોય કેવી રીતે પરીશ્રમ થાય એ ખબર હોય ને સૌથી મોટી વાત ગ્રામજીવનનો અનુભવ હોય ત્યારે આવા નેતા ગામડાઓમા લોકપ્રિય જ હોય આપણા રાઘવજીભાઇ પટેલ આ રીતે જ લોકપ્રિય છે, તેવો અભિપ્રાય ગ્રામજનોએ આપ્યો છે અને માટે જ સમગ્રપણે ગામડાઓ રાઘવજીભાઇ તરફી એકરસ થઇ ગયા છે કેમકે ભરોસાના નેતાને ભરોસાની સરકાર પછી કઇ ઘટે જ નહી…
માટે આ વખતે 77- જામનગર ગ્રામ્ય ધારાસભા બેઠકમા રાઘવજીભાઇ સિવાય કોઇ જોઇતા જ નથી તેમ ગામે ગામ થી એક સર્વેમાં જાણવા મળ્યુ છે, અને રાજકીય વિશ્લેષકોએ જણાવ્યુ છે કે 77 જામનગર ગ્રામ્ય બેઠક માટે ગામડાઓ એકરસ થયા છે અને પ્રચંડ પ્રતિસાદએ રાઘવજી પટેલની વિજય તરફની કૂચ દર્શાવે છે કેમકે ભુપેન્દ્રભાઇની આગેવાનીમાં ગુજરાત સરકારના નરેન્દ્ર મોદીના નેતૃત્વમા ભારત સરકારના ગામડાઓની કાયા કલ્પ થઇ જ રહી છે તેવા અસંખ્ય કામ બોલે છે
આ તકે પુર્વ કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઇ જેઓ સૌને પોતાના જ લાગે છે તેમણે જણાવ્યુ હતુ ગામડાઓનો વિકાસ ખેડૂતોની સમૃદ્ધી અને ગ્રામજનોની પ્રગતિ એ જ અમારૂ ધ્યેય છે એટલું જ નહી શહેરોની જેમ જ ગામોમા પણ દરેક સુવિધાઓથી જનજીવનમા હજુ ય સુવિધાઓ વધારીને આમુલ પરિવર્તન કરવુ છે આ સમગ્ર અહેવાલો જાણતા એક બાબત હવે પાકી થઇ ગઇ છે કે 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફી પ્રચંડ જનજુવાળ છે.
રાઘવજીભાઇ પટેલ એ તેમના પ્રચાર પ્રવાસ દરમ્યાન અનેક વિધ લાભ મેળવતા ખેડૂતો તેમજ ગ્રામજનોને હજુય પ્રગતિ તરફ લઇ જવાની ભાજપની કટીબદ્ધતા અંગે દર્શાવી જુદા જુદા પ્રચાર વખતે જણાવેલી મહત્વની બાબતો ઉપર નજર કરીએ તો પુર્વ કૃષિ પશુપાલન કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઇ પટેલ એ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે.
ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSP યોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના સ્થાને રાજ્યના કુલ ઉત્પાદનના 50% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજુરી આપવા કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સમાં ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી તેને મંજુરીની પ્રક્રિયા સુધી પહોંચાડવાનુ મહત્વનુકામ કરાયુ છે કેમકે જો ખેડૂત સમૃદ્ધ તો ગામડા સમૃદ્ધ અને ગામડા સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ માટેભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જે તે વખતે બેંગલુરુ, કર્ણાટક ખાતે રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી તેને વધાવી લેવાઇ હતી,
-ખેડૂતો સહિત ગ્રામજનોના વિજળીના પ્રશ્નો હલ કર્યા અધિકારીઓને પણ આપી તાકીદની સૂચનાઓ
સરકારી વિભાગો પાસેથી કામ લેવાની રાઘવજીભાઇની એક આગવી ઢબ છે તેઓ વહીવટી પ્રક્રિયા ટેકનીકલ પાસા સહિત દરેક બાબતના જાણકાર છે, આ વિગતોમા જોઇએ તો રાજ્યના કૃષિ , પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીએ જે તે અધિકારીઓને જામનગર જિલ્લામાં જે તે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ ધર્યા હતા. આ બેઠકમાં મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા પીજીવીસીએલનાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કરતા જ રહ્યા હતા અને તેનો અમલ થયો હોઇ ગામડાઓમા જનતાના ખેડૂતોના અનેક વિજપ્રશ્નો હલ થતા રહ્યા છે આ વિજ પ્રશ્નો હલ કરવા કેટલી જહેમત લેવાઇબછે તેનો અંદાજ અને તેનો ફાયદો અત્યારે સૌ ખેડૂતો અને ગ્રામજનોને છે.