Mysamachar.in-જામનગર:
કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે જામનગર સહિત દેશભરમાં શરૂ કરવામાં આવેલા lockdown ના પ્રથમ અને દ્વિતીય તબક્કામાં જામનગરમાં કોરોનાનો વધુ એક પણ પોઝિટિવ કેસ નહી આવતા સરકાર દ્વારા ત્રીજા તબક્કાના lockdown આરંભિક તબક્કામાં જ જામનગર જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવતા જામનગરના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી, દરમિયાન સવારથી જ લોકો વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લીધા વગર બિન્દાસપણે બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને બે વ્યક્તિ વચ્ચેના સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ચહેરા પર માસ્ક પહેરવા ની અવગણના કરી ખુલ્લેઆમ બજારમાં હરતા ફરતા જોવા મળ્યા હતા જે દર્શાવે છે કે હવે આપણા ધૈર્યની અગ્નિ પરીક્ષાનો પ્રારંભ થયો છે,
જેથી દરેક શહેરીજનો વચ્ચે સોશિયલ distance જાળવી રાખવા અને ચહેરા પર માસ્ક પહેરવું જરૂરી બન્યું છે, તેમ છતાં આજે કેટલાક શહેરીજનોએ આ નિયમોનો સરેઆમ ભંગ કર્યો હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવવા પામી છે,જે બાબત ભવિષ્ય માટે અત્યંત ગંભીરતાપૂર્વક હોવાનું જાણકારોમાં ચર્ચા રહ્યું છે, લોકડાઉન 43 દિવસોમાં લોકોએ સરકારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવતા તમામ સાવચેતીના પગલા ભરવામાં કોઈ જગ્યાએ કચાસ છોડી નથી,
શહેરીજનોએ સોશિયલ distance જાળવી રાખ્યું સાથોસાથ ચહેરા પર માસ્ક પહેરી રાખ્યું અને સલામતીના તમામ પગલાંઓ ચુસ્તપણે પાલન કર્યું જેના પગલે એક કેસ સાથે જામનગર કોરોના મુક્ત જેવો જ જીલ્લો રહ્યો છે, આથી સરકાર દ્વારા જામનગરને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવતા શહેરીજનોના વિચારો અને નિયમોની અવગણના કરવાની પ્રથાનો પ્રારંભ કર્યો હોય તે રીતે શહેરીજનો અને બહાર નીકળી ગયા હતા તેથી જ જામનગરના લોકોએ એ વિચારી લેવું જોઇએ કે આ છૂટ નહીં પણ આપણી પરીક્ષા હવે છે શરૂ થઇ છે.