Mysamachar.in-જામનગર:
જામનગરના મધ્યે આવેલ લાખોટા તળાવની પાળના અદ્ભુત સૌંદર્યમાં આજે જાણે રંગોળીના કલરોએ શોભા વધારી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા….અને આયોજનને સ્પર્ધકોએ વધાવી લીધો હોય તેમ લાગ્યું, જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..દિવાળીના પર્વની ઉજવણી નિમિત્તે રંગોળી સ્પર્ધકોને પ્રોત્સાહન મળે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી અને ડી.એમ.સી તેમજ એ.એમ.સી માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની સહિતની ટીમ અને રણમલ તળાવના હિરેન સોલંકી, જીગર જોષી, અર્જુનસિંહ જાડેજા દ્વારા આઝાદી કા અમૃત ઉત્સવ રંગોળી આયોજનને સફળ બનાવવા જરૂરી વ્યવસ્થાઓ કરાઈ હતી.