Mysamachar.in-જામનગર:
જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુરમાં ૧૫ વર્ષ પહેલા ગોપ પાસે હાઇવે રોડ ઉપર આવતા-જતા વાહનોને આંતરી લુંટ ને અંજામ આપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હોય તે મગન નાનસિંગ રહે.-બડલીપાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળો હાલ ચોટીલા તાલુકામાં વડાલી ગામે હાજર છે અને તે મધ્યપ્રદેશની લુંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધાર છે તે માહિતી મળતા જામજોધપુરના ગુન્હામાં પણ નાસતો ફરતો જે ઇસમને વડાલી ગામ સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પીએસઆઈ એ.એસ.ગરચર, સ્ટાફના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઇ એલ.સી.બી.ના નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.