Mysamachar.in-જામનગર
સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે 10 કરોડથી ઉપરનું ટનઓવર તેમજ 1 લાખ ઉપરના રીફંડના કેસોમાં એસસમેન્ટ કરવું ફરજીયાત છે, જેમાં જામનગરમાં સૌથી મોટો બ્રાસ ઉદ્યોગ આવેલ હોવાના કારણે તેમજ અન્ય ખ્યાતી પ્રાપ્ત વ્યાપાર-ધંધાઓના મોટા ટનઓવરને કારણે જામનગર વેટ કચેરી પર કામગીરીનું ભારણ વિશેષ રહેતું હોય છે, ત્યારે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓનું મહેકમ પુરતું ના હોવા છતાં પણ તેવોની સરકારને સૂચનાઓને અનુસરીને કોઈપણ ભોગે એસસમેન્ટના કામો પૂર્ણ કરવા હમેશા તેમની પ્રાથમિકતા રહે છે, અને તેવું આ વખતે પણ થયું છે,
તાજેતરમાં સરકાર દ્વારા વેટ એસસમેન્ટના કેસો 31 ડીસેમ્બર 2020 પહેલા પૂર્ણ કરવાના આદેશો છૂટતા રાજ્યની કેટલીય વેટ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓના પગતળે પાણી ઉતરી આવ્યું પરંતુ જામનગર વેટ કચેરીના કર્મયોગી કર્મચારીઓ અને અધિકારીઓ આ આદેશને માન આપી અને એસસમેન્ટનું કાર્ય પૂર્ણ કરવા દિવસરાત એક કરી રહ્યા છે, જેમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અને ટેક્સ પ્રેકટીશનરો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે,
સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે વેટ એસસમેન્ટ વર્ષ 2016/17 માટે માર્ચ 2021 સુધી જયારે વર્ષ 2017/18નું માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી, તો 2015/16 નું રી-એસસમેન્ટ 2022 સુધીમાં કરવાનું થાય છે, પરંતુ સરકારના આદેશ પ્રમાણે 31 ડીસેમ્બર 2020 ના પૂર્ણ કરવા માટે અધિકારીઓ તેમજ વેપારીઓ પર દબાણ આવતા કોવીડ 19 વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ ઊંધામાથે થઇ અને સરકારની સુચનાને પૂર્ણ કરવા રજાના દિવસોમાં પણ અને ઓફીસની કામની કલાકો બાદ સતત આ કેસોની કામગીરી કરી રહ્યા છે જેની ચર્ચા જામનગરમાં તો ઠીક પણ સમગ્ર રાજ્યમાં અને છેક ગાંધીનગર વડી કચેરી સુધી પણ નોંધ લેવાઈ હોવાનું સુત્રો જણાવે છે.
-વેટ કચેરી જામનગરમાં મંજુર મહેકમ સામે અડધું પણ નથી છતાં પણ તેમની કાર્યદક્ષતાને સલામ..
સરકારના આદેશો છૂટતા જામનગર વેટ કચેરીની વાત કરવામાં આવે તો ડેપ્યુટી કમિશ્નર વેટની 1 પોસ્ટ છે જે પણ ઇન્ચાર્જ થી ચાલી રહી છે, આસિસ્ટન્ટ કમિશનરની સામે હાલ 2 અધિકારીઓ જ છે, તો અને અધિકારીઓની 14 સામે 3 જ અધિકારીઓ જ બાકી બધું ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે, ત્યારે સરકારના આદેશનું પાલન કરવા ભલે મહેકમ ઓછું હોય પરંતુ કામ કરવા માટે મક્કમ જામનગરના અધિકારીઓ અને કર્મચારીઓ કરદાતાઓનું હિત કેમ જળવાઈ રહે તેના માટે જે અથાગ પ્રયાસો કરી રહ્યા છે તે ખરેખર સરાહનાને પાત્ર છે.