Mysamachar.in- જામનગર:
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પ્રથમ તબકકામાં જામનગર અને દ્વારકા જિલ્લામાં મતદાન થવાનું હોય ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના પ્રચાર પ્રસાર માટે દિવસ રાત એક કરી મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા તા. 21/11/2022 સોમવારે રધુવીર પાર્ક ખાતે 78-79 વિધાનસભાનું સંયુકત ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભૂપેન્દ્રભાઈની સરકાર દ્રારા સંયુકત રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસની યાત્રાને /અવિરત નિભાવવા માટે 78 જામનગર ઉત્તરના ઉમેદવાર રિવાબા જાડેજા અને 79 જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશભાઈ /અકબરીને જંગી બહુમતિથી વિજેતા બનાવવા કિસાન મોરચા દ્વારા ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં.
બન્ને ઉમેદવારોના સમર્થનમા ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધતા પુરૂષોત્તમ રૂપાલાએ તેમના વકતવ્યમાં કહ્યું હતું કે, ભારતમાં આઠ વર્ષથી મોદીજીની સરકાર છે, ગુજરાતમા સત્તાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને જામનગરમાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે એમ કહી શકાય કે જામનગરમાં ત્રિપલ એન્જિન સરકાર છે. મોદી સરકારના સમયમાં જામનગરમાં 125 થી 150 કરોડના કામો હાલ ચાલુ છે. 198 કરોડનું ફલાય ઓવરનું કામ ચાલુ છે. જામનગરની સરકાર 900 થી 1000 કરોડની ગ્રાન્ટ મેળવીને વિકાસના કામોને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે.
ગુજરાતના કચ્છની વાત કરતાં તેઓએ કહ્યું કે, જુના સમયમાં, આગલી સરકાર વખતે કચ્છમાંથી માલધારીઓ પાણીની અછતના કારણે ઢોર અને કુટુંબ કબીલા સાથે સ્થાળાંતર કરતા. છ મહિના પછી વરસાદ આવતા વતન પાછા ફરતા, પરંતુ જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું છે અને મોદી સરકારે નર્મદાના પાણીને કચ્છ સુધી પહોંચાડયું છે ત્યારથી હવે કચ્છમાં પણ પાણી છે અને સ્થાળાંતર કરવાની જરૂર રહી નથી. નર્મદાના પાણીએ તો ગુજરાતની દિશા બદલી નાખી છે. અત્યારે નર્મદાનું પાણી દરેક સ્થળે પહોંચી ગયું છે. તેમની દ્રષ્ટિએ 2007 પછી ગુજરાતમાં વિકાસ થયો છે. પંજાબની ચૂંટણીઓમાં પણ કહેવામાં આવતું હતું કે, અમને મત આપો અમે મોદીના ગુજરાત મોડલની જેમ પંજાબનો વિકાસ કરીશું. જ્યારથી ગુજરાતમાં ભાજપા સરકાર આવી છે ત્યારથી ગુજરાતમાં પાયાના કામોની શરૂઆત થઈ છે.
કોંગ્રેસને સવાલ કરતાં તેમને કહ્યું કે, તમે દિગ્વીજયસિંહ સાથે છો. કે નોખા છો ? ગુજરાત માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાને ગુજરાતવાસીઓ સુધી પહોંચાડવા માટે વિરોધ કરનારાઓને સાથે લઇને કોંગ્રેસ ચાલી રહી છે. ભારત જોડો યાત્રામા કોંગ્રેસ અધ્યક્ષ મેંઘા પાટકરને સાથે રાખીને પ્રચાર કરી રહ્યાં છે, એ વાત ઉપર પણ તેમણે કટાક્ષ કર્યો કે ગુજરાતના વિરોધીઓને સાથેની ભારત છોડો યાત્રા કેવીરીતે શક્ય છે ?
આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે 78 જામનગરના ઉમેદવાર રીવાબા અને 79 જામનગરના ઉમેદવાર દિવ્યેશભાઈને જીતાડો અને નર્મદાના વિરોધીને સજા કરો કે તેમને તેમની ડીપોઝીટ જાય એવું કરો. 1 ડિસેમ્બરના કમળ દબાવીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા જામનગર વાસીઓને અપીલ કરી હતી. અને ગુજરાત રાજ્યને દેશના વિકાસનું એન્જિન બનાવવા કહ્યું. આજે ગુજરાતમાં આરોગ્ય, પાણી, 108 સુવિધા, મોદી સરકાર દ્વારા કરાયેલી સુવિધાઓ છે. જેમાં છેવાડાના માનવી સુધી દરેક તેનો લાભ લઇ શકે છે. લોકોને ઉદેશીને કહ્યું કે, લોકો દરેક ચીજ વસ્તુમાં બાર્ગોનિંગ કરાવે છે પરંતુ કયારેય કોઇએ વિચાર્યુ પણ ન હતું કે, મેડીકલ સ્ટોરમાં દવાઓમાં પણ બોર્ગેનિગ કરી શકાય આ કામ આપણા મોદીજીએ કર્યું છે. જન ઔષધિ કેન્દ્ર ખોલી તેમને ગુજરાતની જનતાને બહુ મોટો ફાયદો કરાવી આપ્યો છે. ગુજરાતમાં આશરે 3000 થી વધુ જન ઔષધિ સ્ટોર હશે, જ્યાં મોંઘાભાવની દવાઓ તે ક્ન્ટેનટ સાથે રાહતદરે મળે છે. તો દરેક વ્યકિતએ આ સંવેદનશીલ સરકારના સુશાસન માટે કમળ દબાવીને આપણા રાજાને ગાદીએ બેસાડવા જોઇએ. મોદી સરકારે આપણને માં અમૃતમ કાર્ડ આપ્યું છે જેમાં 500000 સુધીની રકમનો લાભ લઇ શકાય છે. અત્યાર સુધીમાં આશરે સાડા ત્રણ કરોડ લોકોએ આ કાર્ડનો લાભ લઇ લીધો છે.
કીશાન ક્રેડિટ કાર્ડ દ્રારા ખેડૂતોને ઓછા વ્યાજે લોન સુવિધા અપાય છે, તેમાં પણ રેગ્યુલર લોન ચુકવાય તો અમુક વ્યાજ સરકાર દ્વારા ભરવામાં આવે છે. હવે કિશાન ક્રેડિટ જેવી સુવિધાઓ પશુપાલકોને અને માછીમારોને પણ લાગુ પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે.આ સાથે તેમણે કહ્યું કે મોદી સરકારે 20 હજાર કરોડનું મેડ ઈન ઈન્ડીયા જહાજ નૌકાદળ સાથે જોડયું છે. આપણા નૌકાદળના ધ્વજમાં બ્રીટીશ છાપ હતી જે બદલાવીને તેમને છત્રપતિ શિવાજીના નૌકાદળનું ચિન્હ લગાડયું. તો આપણી પણ ફરજ છે કે ગુજરાતમાં વિકાસની ગાથાને આગળ વધારવા માટે સૌ લોકોએ 1 ડિસેમ્બરે પોતે આજુબાજુના ઘર પરિવારના દરેક લોકોએ મતદાન અવશ્ય કરવું જોઇએ.
જામનગરની બન્ને સીટો ઉત્તર-દક્ષિણના ઉમેદવારોને જંગી બહુમતિથી જીતાડીને જામનગરમાં ત્રિપલ એન્જીન સરકાર બનાવવી જોઇએ. આ ઉપરાંત બન્ને ઉમેદવારો એ પણ પ્રજાને પોતાના દરેક પ્રશ્ર્નોનું નિવારણ કરવાનો સંતોષ વ્યકત કરાવ્યો હતો અને પ્રજાને અપીલ કરી હતી કે, મોદીના વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમને સાથ આપો. ‘આ ગુજરાત મે બનાવ્યું છે’ ના સૂત્રને સાર્થક કરતા દરેક ગુજરાતીઓ મોદી સરકારને સાથ આપવો જોઇઆ ઉપરાંત મંત્રી પુરૂષોત્તમ ભાઈ રૂપાલાએ તેમની આગવી શૈલીમાં ફોટોગ્રાફર અને પત્રકારોનું મહત્વ વધારતા કહ્યું કે, આ લોકો આખા ગામને આપણી સભા બતાવે છે… આ ઉપરાંત તેમણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ ભાજપમાં જોડાવા આડકતરી રીતે જણાવ્યું હતું..આ સાથે ૭૮ વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીએ પણ ભારતીય જનતા પાર્ટી ને સાથ આપવા જનતાને અપીલ કરી હતી..
આ કાર્યક્રમમાં 78 ના ઉમેદવાર રીવાબા જાડેજા, 79 ના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રી ધારાસભ્ય તેમજ 77,78,79 ના ઈન્ચાર્જ એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ડે. મેયર તપન પરમાર, રમેશભાઇ મુંગરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પુર્વ શહેર પ્રમુખ મુકેશભાઇ દાસાણી, પુર્વ શહેર પ્રમુખ અશોકભાઈ નંદા, દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઈ, 78 ના ચૂંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, 79 ના ચૂંટણી ઈન્ચાર્જ મનિષ કટારિયા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રકાશ બાંભણિયા,
ઉપરાંત ઈન્ડીયન ક્રિકેટર સ્ટાર રવિન્દ્ર જાડેજા, ઉતર પ્રદેશના કિશાન મોરચાના પ્રભારી રાકેશ શર્મા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, યુવામોરચાન વિરલ ભાઈ બારડ, પૂર્વ અધ્યક્ષ હિતેશભાઈ ભટ્ટ જામનગર શહેર કિશાન મોરચાના પ્રમુખ અશ્વિન ભાઈ તાળા, મહામંત્રી ચંદ્ર સીહ તાળા, મહામંત્રી ગોવિંદભાઈ ભારવડીયા, ઇન્ચાર્જ હસુભાઈ પેઢડિયા, સહ ઇન્ચાર્જ વિશાલભાઈ જાની અને મયુરભાઈ તાલપરા, વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જેન્તીભાઇ ગોહિલ, પ્રભારી ભાવેશભાઈ ઠુમ્મર, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર, દીપા સોની, લક્ષ્મણભાઈ ગઢવી, આઇ.ટી.સેલ ના ઇન્ચાર્જ રાજેશભાઈ લખતરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. હાજર રહેલા ભાજપના કાર્યકરો અને સ્થાનિક વિસ્તારના લોકોએ ભાજપ ને જીતાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો.