Mysamachar.in-જામનગર:
જામનગરનું ખાણખનીજ વિભાગ તેના અધિકારીઓ અને કર્મચારીઓ તેની કાર્યપ્રણાલીને લઈને આ વિભાગ પર વારંવાર ભ્રષ્ટાચાર અને મિલીભગતના આક્ષેપો થતા રહે છે, (સાચા ખોટા તે તપાસનો વિષય છે) અને જોડિયા ધ્રોલ સહિતના તાલુકાઓમાં બેફામ ખનીજચોરી સામે પોલીસ દરોડા કરે છે તો આ વિભાગ જેની સીધી જવાબદારી છે તે શું કરે તે સવાલો પણ ઉઠતા રહે છે, એવામાં થોડાસમય પૂર્વે જામનગરના એક આર.ટી.આઈ એક્ટીવીસટ દ્વારા ખાણખનીજ વિભાગ જામનગરને લગતા કેટલાક પ્રશ્નો સંદર્ભે માહિતી અધિકાર તળે માહિતી માંગેલ હતી પણ આ કચેરીએ માહિતી પૂરી ના પાડતા રાજ્ય માહિતી આયોગ સમક્ષ આ મામલો પહોચ્યો હતો અને જ્યાં આર.ટી.આઈ એક્ટીવીસટની તરફેણમાં મામલો જતા રાજ્ય માહિતી કમિશ્નર દ્વારા ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી મેહુલ દવેને અપીલ અરજી અન્વયે 10 હજારનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવતા આ દંડ મેહુલ દવે દ્વારા એસબીઆઈ બેંકમાં જમા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.