Mysamachar.in-જામનગર:
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ નજીક વયોવૃધ્ધ વ્યકિતનુ અવાવરું સ્થળે કોઈ હત્યારાઓ હત્યા કરીને નાશી જતા પોલીસ માટે પ્રથમ તબક્કે આ કેસ ગુત્થી જેવો હતો કારણ કે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ કે બહુ કામ આવે તેમ નહોતું…એવામાં જામનગર એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ ટીમો બનાવી કામે લાગતા આ ગુન્હાનો ગણતરીની કલાકોંમાં જ ભેદ ઉકેલી નાખી ચાર હત્યારાઓને ઝડપી પાડી પોલીસનો પરચો બતાવી દીધો છે. થયેલ ખૂનનો ભેદ 24 કલાકમા ઉકેલી ગુન્હામાં સંડોવાયેલા 4 ઇસમોને પાકડી પાડી કાયદાનું ભાન કરાવી દીધું છે,
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડની પાછળના ભાગે જરઘોડા વાડીની સીમ વિસ્તારમાં ફરીયાદી વાલાભાઇ ખેતાભાઇ ચાવડીયા રહે સામનપીર તા.જી જામનગરના પિતા ખેતાભાઇ હઠાભાઇ ચાવડીયા ઘેટા બકરા ચરાવતા હોય ત્યારે કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ પણ કારણોસર કોઇ પ્રાણ ધાતક હથિયારથી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી ખૂન કરી અને બકરા લૂંટ કરી નાશી જવા અંગેનો બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો, જે બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ખૂનનો પ્રથમથી જ બ્લાઇન્ડ કેસ હોય,જેથી આ વણ ઉકેલાયેલ ગુનો શોધી કાઢી,તેમા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામા આવેલ,જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ-જામનગરના પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નિનામા સીટી એ ડીવીઝન PI એમ.જે.જલુ, એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામા આવેલ
ઉપરોકત ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલુ હતી, તે દરમ્યાન એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા, દિલીપ તલાવડીયાને સયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે ખૂન-લૂંટ મા હાલમાં જામનગર હાપા રોડ ઉપર રહેતા ઇસમોએ સાથે મળી ગુનાને અંજામ આપેલ હોવાની હકિકત મળેલ અને મજકુર ઇસમોની તપાસ કરતા તેઓ પીકઅપ વાહન નંબર-GJ-10-v-9211 માબેસી જામનગરથી પાટણ જીલ્લાના સમી તાલુકા તરફ નાશી ગયેલ છે. જે બાદ પાટણ એસ.ઓ.જી પી.આઈ. આર.કે અમીન તથા સમી પોલીસ સ્ટેશનની મદદ મેળવી એલ.સી.બી. પીએસઆઈ કે.કે.ગોહિલ તથા એસ.ઓ.જી પીએસઆઈ વિ.કે.ગઢવી દ્વારા આરોપીઓને સમી મુકામેથી કોર્ડન કરી પીકઅપ વાહન સાથે બુધો ગેલાભાઇ પરમાર સરાણીયા, વિજય રૃધાભાઇ સિંધવ, અર્જુન ગેલાભાઇ પરમાર, કિશન જીવાભાઇ પરમારને હસ્તગત કરવામા આવેલ મજકુર ચારેય ઇસમોની પુછપરછ દરમ્યાન બકરાની લૂંટ કરતા સમયે મરણજનાર વૃધ્ધ વ્યકિતએ પ્રતિકાર કરતા માથામાં લાકડીના ઘા તથા પથ્થર ઘા મારી ઇજા કરી, ખૂન કરેલની હકિકત જણાવેલ છે.
આ કાર્યવાહી એલસીબી પી.આઈ. એસ.એસ.નિનામાંના માર્ગદર્શન હેઠળ કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા,હરદિપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયા, ભરતભાઇ પટેલ,વનરાજભાઈ મકવાણા,ભગીરથસિંહ સરવૈયા યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી,શરદભાઇ પરમાર,હીરેનભાઇ વરણા,નિર્મળસિંહ એસ. જાડેજા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.