Mysamachar.in-જામનગર
ગત સાંજે જામનગર જીલ્લામાં એક અપહરણની ઘટના બની હતી અને આ ઘટનાએ જામનગર જીલ્લામાં પોલીસને દોડતા કર્યા હતા, ગત સાંજે ચારેક વાગ્યાના સુમારે ફરીયાદી નિલેશભાઇ મગનભાઇ બસીયા પોતાની માસીની દિકરી (ભોગબનાનાર)ને પોતાના બાઈકમાં બેસાડી જતા હતા દરમ્યાન ધ્રાંગડા પાટીયા નજીક આવતા આરોપી કિરીટભાઇ દાનાભાઇ ગલચર તથા અન્ય ત્રણ ઇસમો ઇકો ગાડીમાં આવી ફરીયાદીની બાઇકમાં પાછળ બેસેલ ભોગ બનનાર મહિલાને ચાલુ કારે ખેચી ઇકો ગાડીમા બળજબરીથી બેસાડી દઇ અપહરણની વારદાતને અંજામ આપ્યો હતો અને આ ઘટના પોલીસ માટે પડકાર જેવી હતી, જે બાદ એલ.સી.બી.પી.આઈ. એસ.એસ.નિનામાની રાહબરી હેઠળ આ ગુનાના આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ધ્રોલ પોલીસ સ્ટેશન કક્ષાએથી અલગ અલગ ટીમોની રચના કરી, મોરબી, ટંકારા, જોડીયા, ધ્રોલ વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલ હતા,
દરમ્યાન એલ.સી.બી.ના પીએસઆઈ કે.કે.ગોહીલ, તથા બી.એમ.દેવમુરારી નાઓની અલગ અલગ ટીમો અને અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડી ટેકનીકલ સર્વેલન્સનો ટીમની મદદ વડે ગુનાને અંજામ આપનાર ઇસમો તથા ઇકો કારની ઓળખ કરવામાં આવેલ, જેમા એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા તથા યોગરાજસિંહ રાણા અંગત બાતમીદારોથી બાતમી હકિકત આધારે ગુનાને અંજામ આપનાર આરોપીઓને જોડીયા તાલુકાના પીઠડ ગામ નજીક થી ગુનામાં વપરાયેલ ઇકો કાર નંબર GJ-36-R-9140 સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ભોગબનનારને અપહરણ કરનાર આરોપીઓના કબ્જામાંથી મુકત કરાવી આરોપીઓ કિરિટ દાનાભાઇ ગલચર, પ્રાણજીવન ઉર્ફે ગજો નરભેમરામ વડસોલા, મિલન વાલાભાઇ ટોટાઅને એક કાયદાથી સંધર્ષિત કિશોર તેમજ અન્ય એક હસમુખ લખમણભાઇ કાનાણી ફરાર હોય અટક કરવાની બાકી છે.