Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થતા જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખા આ મામલે તસ્કરોનું પગેરું મેળવવા પાછળ લાગેલ હતી જેમાં ટીમને સફળતા મળી છે અને 5 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.ફરીયાદી ભરતભાઇ કાંતીલાલ કારીયા રહે. હરીયા સ્કુલની પાછળ, જૈનદેરાસર પાસે, જામનગર વાળા આજથી આશરે અઢી ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ઘરને તાળા મારી ગયેલ ત્યારે પાછળથી કોઇ અજાણયા ચોર ઇસમએ ફરીયાદીના મકાનના તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૦,૯૧૩/- ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.મા અજાણયા ચોર માણસ વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી.
અન્ય એક ફરીયાદી ઉમેદભાઇ ભીમાભાઇ રાઠોડ રહે. કૈલાશધામ, યાદવનગર જામનગર વાળા તથા તેમની બાજુમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયેલ હતા. તે દરમ્યાન કોઇ અજાણયો માણસ તાળા તોડી મકાન માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 1,48,850/ ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે મા અજાણયા ચોર માણસ વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી. જે બંને ગુના વણશોધાયેલ હતા.
જે બાદ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરયસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા હરદીપભાઇ ધાધલને મળેલ ખાનગી હકિકત આધારે, જામનગર શહેરમાં ચાંદીબજારમાંથી આરોપી હુશેન ઉર્ફે હુશનોચોર અલીભાઇ જોખીયા રહે. ધરારનગર1, સલીમબાપુના મદ્રેશા પાસેના કબ્જામાંથી સોના ચાંદીના દાગીના કિ.રૂ. 53,250/- તથા રોકડ રૂ. 32,000/- મળી કુલ રૂ. 85,250 નો મુદામાલ મળી આવતા કબજે કરી, તેની વિરુદ્ધ પીએસઆઈ બી.એમ.દેવમુરારીએ કાયદેસરની કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ને સોપી આપેલ છે. ચોરીના સોનાના દાગીના લેનાર સોની સનતભાઇ પાલાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
ઝડપાયેલા આરોપીએ નીચે મુજબની ચોરી કરેલની કબુલાત કરેલ છે.
-આજથી ત્રણેક મહિના પહેલા ગુરૂધ્વારા, ગોકુલ હોસ્પીટલની પાછળ એક મકાનના તાળા તોડી સોનાની વીટી તથા કેમેરાની ચોરી કરેલ છે.
-આજથી અઢી મહિના પહેલા હરીયા કુલની પાછળ, જૈન દેરાસર પાસે એક મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે.
-આજથી પંદરેક દિવસ પહેલા વાલ્કેશ્વરીમાં એક કેબીનના તાળા તોડી રોકડ રૂ 5000/- ની ચોરી કરેલ છે.
-આજથી દસ બાર દિવસ પહેલા ઢીયડા રોડ ઉપર ભકિતનગરમાં એક મકાનના તાળા તોડી સોનાના ઓમકાર તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે.
-આજથી સાતેક દિવસ પહેલા યાદવનગર કૈલાશધામમાં બે મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ છે.
-કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામાની સુચનાથી પીએસઆઈ બી.એમ દેવમુરારી, કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, યોગરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે