Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ ખીમલીયા પાસે પુનમબેન મહેશભાઇ વાધોણા રહે. ધુવાવનાકા કોળીવાસ, જામનગર વાળીએ આરોપીઓ ધમભા મહાકાલ જયસુખભાઇ તથા અમીત અશોકભાઇ પીપળીયા તથા આકાશ ઉર્ફે બબન પરેશભાઇ કોળી રહે. ત્રણેય જામનગર વાળા વિરૂધ્ધ પંચકોષી બી પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ કે આ કામના આરોપી ધમભા ઉર્ફે મહાકાલનો ઇગ્લીશ દારૂનો પોલીસમાં કેસ થયેલ તેમાં ફરીયાદીના પતિ મહેશભાઇ વાધોણાએ પોલીસમાં બાતમી આપેલની શંકા ખાર રાખી આરોપીઓએ અગાઉથી મરણજનાર ને મારી નાખવાનો પ્લાન બનાવી મરણ જનારને ફોન કરી બોલાવી તિક્ષણ હથિયાર તથા ધોકાથી શરીરે માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું. જે ગુનો આચરી ત્રણેય આરોપીઓ નાશી ગયેલ હતા.
જે બાદ એલસીબીએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા યોગરાજસિંહ રાણાનેને મળેલ હકિકત આધારે ધ્રોલ તાલુકાના લૈયારાગામ પાસેથી આ ગુનામા સંડોવાયેલ ત્રણેય આરોપીઓ છે તેવી માહિતીને આધારે ત્રણેયને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પંચકોષી બી ડીવી પોલીસ મથકને સોપી આપેલ છે.