Mysamachar.in-જામનગર
જામનગર ભુકંપના સીસ્મીક ઝોન 4 મા આવતુ હોઇ ધરતીકંપની અવારનવારની સંભાવના ધ્યાને લઇ સરકારના નિયમો મુજબના બાંધકામ ખાસ કરીને લો રાઇઝ હાઇરાઇઝ દરેકના હોવા જોઇએ કેમકે ખાસ કરીને પુરતી સ્પેશવાળા બાંધકામ ન હોય તો જ્યારે કોઇપણ આફત આવે ત્યારે લોકોને સલામત સ્થળે ઝડપથી જવાની સુગમતા ન રહે તેવા સંજોગોમા જાનહાની માલહાનીની સંભાવના રહે છે, માટે પ્રજાની સલામતી માટે કોમર્શીયલ સેન્ટરો, માર્કેટમોલ, કચેરીઓ વગેરેના એન્ટ્રી એક્ઝીટ અલગ હોવા જોઇએ સીડી પહોળી હોવી જોઇએ માર્કેટોમાં પ્લાય ફાયબર કપડા વગેરેના પાર્ટીશન ન હોવા જોઇએ રવેશ પહોળા અને અવરજવર સરળતાથી થાય તેવા હોવા જોઇએ તેમજ એકંદર આગ શોર્ટ સરકીટ બાંધકામનો કોઇ ભાગ તુટવો પડવો ધસવો વગેરેમાંથી કોઇપણ દુર્ઘટના થાય ત્યારે લોકો સલામતીથી અવર જવર કરી શકે બહાર નીકળી શકે તેની પુરતી વ્યવસ્થા હોવી જોઇએ,
જામનગર કોર્પોરેશન તેમજ કલેક્ટરેટના આપતિ નિયમન વ્યવસ્થાપનના અધીકારીઓના જણાવ્યા મુજબ ડીઝાસ્ટર મેનેજમેન્ટના નિયમોના પાલન કરવા સલામતીના દરેક માપદંડ જાણી તે મુજબનુ બાંધકામ સુવિધા અને સલામતિની વ્યવસ્થાઓ કરવી ફરજીયાત છે. જેમકે વેન્ટીલેશન પ્રોપર ન હોય તો ધુમાડા વગેરે સહેલાઇથી બહાર નહી જાય સીડી પહોળી નહી હોય તો લોકો ઝડપથી ઉતરી નહી શકે પાણીના ટાંકા ભરેલા નહી હોય તો આગ બુઝાવવા પુરતુ પાણી નહી મળે ઇલેક્ટ્રીક લાઇન સેઇફ નહી હોય તો વારંવાર શોર્ટ સરકીટ થશે એન્ટ્રી એક્ઝીટ અલગ અલગ અને પુરતી પહોળી નહી હોય તો લોકો સહેલાઇથી અવર જવર ન કરી શકે અને જરૂર પડ્યે ઝડપથી બહાર પણ ન જઇ શકે
– TPO માં મંજુર થતા પ્લાન અને સ્થળ ઉપર બાંધકામમા તફાવતના અનેક કિસ્સા
જામનગરમા ઘણી જગ્યાએ જોવા મળે છે કે નવા જીડીસીઆર અને ફાયર સેફટી એક્ટ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટના નિયમ મુજબ મોટા બાંધકામના પ્લાન નકશા તો બને છે પરંતુ તે મુજબ સો ટકા બાંધકામ કરવાના બદલે જગ્યાના અમુક જગ્યાએ લાગે અને કન્જસ્ટેટ બાંધકામ થાય અને જ્યારે સલામતીના માપદંડ મુજબ જોવામા આવે તો આવા બાંધકામ ગેરકાયદેસર ગણાય છે, માટે મંજુર થયેલા નકશા મુજબ જ બાંધકામ થાય છે તે જોવુ મહત્વનુ છે કેમકે વધતા જતા સુવિધાના યુગમા દુર્ઘટનાઓ પણ વારંવાર બનતી હોય લોકોની જાનમાલની સલામતી ખાતર નિયમુજબ જ બાંધકામ રાખવા જરૂરી છે.
– કાચની વોલ-ફીક્સવિન્ડો વધુ જોખમી
અનેક શોરૂમ, અમુક બહુમાળી, અમુક દવાખાન, હોટલ રેસ્ટોરન્ટ, ક્લાસીસ, શાળા કોલેજ વગેરેમા ક્યાક ક્યાક કાચની આઉટ સાઇડ વોલ કે મુવ ન થાય તેવા કાચની ફીક્સ વિન્ડો હોય છે ત્યારે આગ લાગે તો આ ફીક્સ કાચના કારણે વધુ આપતિજનક સ્થિતિ થાય છે તેમજ કોઇ દુર્ઘટના વખતે બચાવ રાહત કાર્યમા પણ તકલીફ પડે છે તેમ પણ આપતિનિયમન નિષ્ણાંતો જણાવે છે ઉપરાંત બિનજરૂરી ફીક્સ ફાયબર મુવેબલ ફાયબર કે પ્લાય રખાયા હોય કે પાર્ટીશન તેના કરાયા હોય તો તે પણ સલામતીના દ્રષ્ટીકોણથી યોગ્ય નથી તેમ પણ નિષ્ણાંતો ઉમેરે છે.