Mysamachar.in-જામનગર
જામનગર GPCBનાં પ્રાદેશિક અધિકારી તરીકે ફરજ બજાવતા બી.જી.સુત્રેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ એસીબીને મળી આવી છે, ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી લેતા તેના કબ્જામાં થી રોકડ મળી આવી છે, બી.જી.સુતરેજા જામનગર પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદુષણ બોર્ડ તરીકે ફરજ બજાવે છે અને અમદાવાદ ખાતે રહે છે, તેની પાસેથી મળી આવેલ 5 લાખની રોકડ પ્રમાણસર કે અપ્રમાણસર તે અંગે એસીબી દ્વારા તેમની પુછપરછ ચાલી રહી છે, એસીબી દ્વારા આ અંગે કોઈ સતાવાર માહિતી આપવામાં આવી નથી જો કે આ રકમનો હિસાબ આપવામાં અધિકારી નિષ્ફળ જશે તો તેમની સામે અપ્રમાણસરની મિલકત સંબંધીત ગુનો નોંધાઈ શકે છે અને સાંજે એસીબી આ અંગે વિધિવત કાર્યવાહી અંગેની માહિતી જાહેર કરશે તેમ ગાંધીનગર ખાતેથી જાણવા મળી રહ્યું છે.