Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયત છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ને કોઈ બાબતો પર ચર્ચામાં આવી રહી છે, ત્યારે જામનગર આમ આદમી પાર્ટી કિશાન સંગઠનના પ્રમુખ સુનીલભાઈ ચીખલીયા દ્વારા આજે નાયબ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને જે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે… જામનગર જીલ્લા પંચાયતની ખંઢેરા જિલ્લા પંચાયત સીટ ઉપરથી ચૂંટાઈ આવેલા વર્તમાન સદસ્ય જગદીશભાઈ સાંગાણી જેવો જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન છે તાજેતરમાં જ તેઓએ એક નિવેદન આપેલ કે આરોગ્ય વિભાગના અધિકારીઓ પોતાની મનમાની કરે છે અને માસ્ક તેમજ અન્ય વહીવટની અંદર ગોબાચારી કરી ભ્રષ્ટાચાર કરેલ છે અને આરોગ્ય સમિતિના ચેરમેનનું પણ બિલકુલ માનતા નથી એવી વાત તેમણે મીડિયા સમક્ષ સરકારના અનુસંધાનમાં કરેલ… આ નિવેદન જોતા એવું લાગી રહ્યું છે કે જગદીશભાઈ સાંગાણી પોતે સક્ષમ નથી અથવા તો તેમની સરકાર ભ્રષ્ટાચારીઓને સાથ આપે છે એટલે જ અધિકારીઓ પોતાની મનમાની કરે છે. આરોગ્ય સમિતિના ચેરમેનની વાત જો કોઈનું સાંભળતું હોય તો સામાન્ય પ્રજાનું શું થાય.? આના માટે ફક્ત અને ફક્ત તેમને પોતાની સરકાર જ જવાબદાર છે,
જો જગદીશભાઈ સાંગાણીની વાત સત્ય હોય તો તેમાં ઊંડાણથી કાયદેસરની તપાસ હાથ ધરી અને જે કોઈ ભ્રષ્ટાચારી છે છે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે વધુમાં ગત ચુંટણીમાં ખંઢેરા જિલ્લા પંચાયત સીટ ઉપરથી જગદીશભાઈ સંગાણીની સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલ આપના કિશાન સંગઠન પ્રમુખ સુનીલ ચીખલીયા જેને 4150 જેટલા મત મળેલ છે જેને ધ્યાનમાં લઇ તેવોએ જગદીશભાઈ સાંગાણીના રાજીનામાની માંગણી કરી છે. અને તાત્કાલિક ધોરણે જે વ્યક્તિ આ હોદ્દાને ચલાવવા માટે સક્ષમ નથી અથવા તો તે પ્રજાના કલ્યાણકારી કામ કરી શકે તેમ નથી તેવું સાબિત થતું હોવાથી તેમને રાજીનામું આપી દેવું જોઈંએ, જગદીશભાઈ સાંગાણીને તેમને હોદા પરથી દૂર કરવામાં આવે અથવા તો જગદીશભાઈ સાંગાણી પોતે રાજીનામું આપે તેવી માંગ આપ જામનગર જીલ્લા કિશાન સંગઠનના પ્રમુખ સુનીલ ચીખલીયા દ્વારા કરવામાં આવી છે.