Mysamachar.in:જામનગર
જામનગર શહેર જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરો બેફામ બન્યા છે, અને ઉપરા છાપરી એક બાદ એક વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેકતા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે, એવામાં કસ્ટમ સુપ્રીટેન્ડન્ટના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતા ઉસેડી ગયા છે, શહેરના મેહુલનગરમાં આઈ.ઓ.સી. કોલોની વિસ્તારમાં રહેતાં કસ્ટમના સુપ્રીટેન્ડેન્ટના મકાનના તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી રૂા.22,000 ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂા.2,40,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં.આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મેહુલનગરમાં આઈ.ઓ.સી. કોલોનીમાં મકાન નં 21/બી-2માં રહેતાં અને કસ્ટમના સુપ્રીટેનડેંન્ટ સુજીતકુમાર સુભાષકુમાર સિન્હાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાનું તાળું/નકૂચા તોડી મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા રૂા. 2,10,000 ની કિમતના સોનાના દાગીના, રૂા 8000 ની કિમતના ચાંદીના દાગીના તથા રૂા 22,000ની રોકડ મળી કુલ રૂા.2,40,000ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવની સુજીતકુમાર દ્વારા જાણ કરતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું શોધવા તપાસ શરુ કરી છે.