Mysamachar.in:જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઘરફોડી ચોરીની ઘટનાઓ સતત ને સતત વધી રહી છે, આવા તસ્કરોને ઝડપી પાડવા જામનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત દિવસ રાત એક કરી રહી હતી અને અંતે આવી ઘરફોડ ચોરી કરનાર ગેંગના બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જામનગર ક્રાઈમ બ્રાન્ચના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા તથા અજયસિંહ ઝાલાને સંયુકત બાતમી હકિકત તેમજ પોકેટ કોપના આધારે જામનગરશહેરમા ખોડીયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી અર્જુન રાહુલભાઇ ભાટ બંજારા અને બાદલ રાહુલભાઇ બાદલભાઇ ભાટ બંજારા રહે. જામનગર શંકાસ્પદ બાઈક સાથે મળી આવતા પોકેટ કોપ માં સર્ચ કરતા કબ્જામાંથી હીરો લીવો બાઈક જી.જે.10 સીએસ 130 કિ.રૂ. 25,000 નુ ચોરીના ગુનામા ગયેલ બાઈક હોય જેથી કબ્જે કરી બન્ને ઇસમોના રહેણાક મકાને તપાસ કરતા તેમના રહેણાક મકાનેથી સોના,ચાંદીના દાગીના,ધડીયાળ તથા રોકડ રકમ બાઈક તથા ધરફોડ કરવાના સાધનો મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.
જામનગરની 9 ચોરીઓનો ભેદ પણ આ તસ્કરો ઝડપાઈ જતા ખુલવા પામ્યો છે. બંને આરોપીઓએ રાજકોટમાં પણ જુદા જુદા સ્થળોએ ઘરફોડી આચરીને હાહાકાર મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેઓએ રાજકોટના સંતકબીર રોડ, અંકુર મેઇન રોડ, નાના મહુવા, કોઠારીયા સોલવન્ટ, હરિદ્વાર સોસાયટી વિસ્તારમાં ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે.પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે બન્ને આરોપીઓ ધરફોડ ચોરી કરવામા તેઓની સાથે હથોડી,વાદરી પાનુ, ડીસમીસ, લોખંડનો ગણેશીયા, ગ્લેન્ડર મશીન પાના સાથે લઇ, ચોરી કરેલ બાઈક પર જઇ રાત્રી દરમ્યાન બંધ રહેણાક મકાનના નકુચા તાળા તોડી રહેણાક મકાનમાંથી ઘરફોડ યોરીઓ કરતા હતા