Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડના ભાવાભી ખીજડીયા ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માતની એક ઘટના સામે આવી છે. બન્ને કાર અથડાઈ જતા કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો ઈજાગ્રસ્તોમાં 2 નાના બાળકોનો સમાવેશ પણ થાય છે. તમામ ઘાયલોને સારવાર અર્થે જામનગર જી.જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ઈજાગ્રસ્તો પૈકી 1 વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ અલ્ટો કાર અને આઈ ટેન કાર બન્નેમાં ચાર ચાર લોકો સવાર હતા.અને ઈજાગ્રસ્તો પૈકી હજુ એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.