Mysamachar.in:જામનગર
દરવર્ષ જ્યારે બોર્ડનું પરિણામ આવે ત્યારે સૌની નજર જામનગરની કેડ્મસ સોઢા સ્કૂલ્સના ઉજવળ પરિણામો પર હોય…દરવર્ષ બોર્ડમાં બાજી મારવાની પ્રથા આ વર્ષે પણ જળવાઈ છે, અને શાળાના ગૌરવમાં વધારો થયો છે, આ વર્ષે પણ ધોરણ-12ની પરીક્ષામાં 90.56% જેવું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા સત્યાવીસ વર્ષથી આ શૈક્ષણિક સંસ્થા ઉચ્ચકોટિની પ્રતિષ્ઠા ધરાવે છે. આ સ્કૂલમાંથી અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને સમાજના વિવિધ ક્ષેત્રોમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે.
આ વર્ષે પણ કેડ્મસ સોઢા સ્કૂલ્સના 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. બોર્ડનું પરિણામ 73.27% છે. જ્યારે કેડ્મસ સોઢા સ્કૂલ્સનું પરિણામ 90.56% જેટલું આવેલ છે. તેમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તથા 8 વિદ્યાર્થીઓએ 95 થી વધુ પી.આર. પ્રાપ્ત કરેલ છે, તેમજ 18 વિદ્યાર્થીઓએ 90 થી વધુ પી.આર. પ્રાપ્ત કર્યાની સિદ્ધિ મેળવેલ છે. જેમાં આમરણીયા નીલને 99.98 પી.આર. અને 94.57% પ્રાપ્ત કરેલ છે. તેમજ સવનિયા દેવેન 99.65 પી.આર. અને 90.14% પ્રાપ્ત કરેલ છે. બંને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં C.A. બનીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું ધરાવે છે. કેમસ સોઢા સ્કૂલ્સ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવે છે.
કેડ્મસ સોઢા સ્કૂલ્સના CEO મેડમ એકતાબા સોઢા અને COO યજુર્વેન્દ્રસિંહ જાડેજા એક મુલાકાતમાં જણાવ્યુ છે કે શાળાના વિદ્યાર્થીને સી.એ., સી.એસ., સી.એફ.એ., એમ.બી.એ. જેવા ઉચ્ચ અભ્યાસ તથા ઉજ્જવળ કારકિર્દીમાં સતતપણે કેરિયર કાઉન્સીલ સેલ કાર્યરત છે. શાળાના ઝળહળતા પરિણામ માટે શાળાના HOD ભૂપેન્દ્રસિંહવાળા, સંદીપસિંહ જાડેજા, બિનાબા વાળા તથા સમગ્ર શિક્ષકગણોનો મુખ્ય ફાળો રહ્યો છે.