Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા જેલના દવાખાનામાં ડોક્ટરની ફરજમાં રુકાવટ કર્યાનો મામલો સામે આવ્યો છે,જીલ્લા જેલમાં એમબીબીએસ ડોક્ટર તરીકે ફરજ બજાવતા જન્મેજયસિંહ જાડેજા પોતાની ફરજ પર હોય ત્યારે જેલમાં રહેલા દુષ્કર્મ કેસના આરોપી જહાંગીર યુસુફ ખફીને હાડકાની તકલીફ હોય તે સંદેભે આરોપીએ જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવા માટે ડોક્ટરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તમને જોઈ લઈશ તેમ જણાવતા તબીબએ આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.