Mysamachar.in:જામનગર
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લાંબા સમયથી જે નાયબ મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે અને જેમાં જામનગર જીલ્લામાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા 9 નાયબ મામલતદાર સહીત કુલ 118 નાયબ મામલતદારને હવે મામલતદારનું પ્રમોશન આપી નિમણુકોના ઓર્ડર કરવામાં આવ્યા છે,અને હા જામનગર જીલ્લાના નાયબ ચૂંટણી અધિકારી પણ આ ઓર્ડરમાં ભરાઈ છે, જામનગર ખાતે ચુંટણી અધિકારી તરીકેની ખાલી પડેલ જગ્યા પર નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે સુરત જીલ્લાના માંગરોળ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી બઢતી પામેલ ડી કે વસાવાની નિમણુક કરવામાં આવી છે.
-જામનગરના આ 9 નાયબ મામલતદારો હવે મામલતદાર બની ગયા આ જગ્યાઓ પર બજાવશે ફરજ
-શોભાનાબેન ફળદુની સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર તરીકે
-બી એમ રેવરની અમરેલી જિલ્લાના બાબરા મામલતદાર તરીકે
-દક્ષાબેન જગડની અમરેલી કલેકટર કચેરીના ચીટનીસ તરીકે
-મહેન્દ્ર સૂચકની સુરેન્દ્રનગર કલેકટર કચેરી ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે
-દક્ષાબેન રીડાણીની દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ મામલતદાર તરીકે
-મહેશ ડી દવેની રાજકોટ કલેકટર કચેરી, ચૂટણી શાખામાં મામલતદાર તરીકે
-ગુમાનસિંહ જાડેજાની જુનાગઢ કલેકટર કચેરીના ચીટનીસ તરીકે
-બી ટી સવાસાણીની ભાવનગર જીલ્લાના વલભીપુર મામલતદાર તરીકે
– પી એમ મહેતાની અમરેલી કલેકટર કચેરીના જનસંપર્ક અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.
-ક્યાં ક્યાં મામલતદારોની બદલી થઇ.?
જામનગર મહાનગર પાલિકાની મધ્યાહન ભોજન યોજનામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કુ. જે ડી જાડેજાની જામનગર શહેર મામલતદાર તરીકે બદલી થવા પામી છે. જયારે જોડિયા મામલતદાર પીકે સરપદડિયાની જામનગર કલેકટર કચેરી પ્રોટોકોલ મામલતદાર તરીકે અને પ્રોટોકોલમાં ફરજ બજાવતા પીએસ ભુરીયાની જુનાગઢ જીલ્લાના વંથલી મામલતદાર તરીકે નિમણુક કરાઈ છે, જામજોધપુર મામતદાર ધર્મેશ કાછડની ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ રૂરલમાં માંદલી થવા પામી છે. તેમજ જામનગર ગ્રામ્ય મામલતદાર કમલેશ કરમટાની રાજકોટ કલેકટર કચેરીમાં એડીશનલ ચીટનીશ તરીકે બદલી થવા પામી છે. જયારે જામનગર શહેર ઇન્ચાર્જ મામલતદાર અને ચુંટણી શાખાનો રેગ્યુલર ચાર્જ ધરાવતા મામલતદાર અક્ષર વ્યાસની અમદાવાદ જીલ્લાના દસક્રોઈ ખાતે મામલતદાર તરીકે બદલી થવા પામી છે.
-કોણ ક્યાંથી આવશે અને જામનગરમાં ક્યાં ફરજ બજાવશે.
રાજકોટથી મામલતદાર તરીકે પ્રમોશન પામેલ સૈલેશ હાંસલિયાને જામનગર કલેકટર કચેરી, ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે, કચ્છ ફરજ બજાવતા મહેશ કટીરાને કાલાવડ મામલતદાર, દયારામ પરમારને જોડિયા મામલતદાર જયારે લાલપુર મામલતદાર તરીકે જુનાગઢથી બઢતી પામી આવેલ જયેશ અનાડાની નિમણુક કરવામાં આવી છે.
-વિવિધ બ્રાન્ચોમાં 35 વર્ષની પારદર્શી અને બેદાગ અને વખાણવા લાયક સેવા આપનાર દક્ષાબેન રીંડાણી હવે ભાણવડ મામલતદારનો ચાર્જ સંભાળશે
જામનગરના મહેસુલ વિભાગમાં જેની પાસે ખોટું કોઈનું નહિ ચાલે અને સાચું હશે તો કોની ભલામણની જરૂરી નથી તેવી સ્પષ્ટ છાપ ધરાવતા અને પોતાની 35 વર્ષની ફરજ દરમિયાન મહત્વની વિવિધ શાખાઓમાં ફરજ બજાવનાર અને હાલ મેજીસ્ટ્રેરીયલ જેવી કલેકટર કચેરીની મહત્વની બ્રાન્ચમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવનાર નખશીખ પ્રમાણિક અને જેની પ્રમાણિકતાની કેટલાક ઉચ્ચઅધિકારીઓ અન્ય અધિકારીઓને મિશાલ આપે છે તે દક્ષાબેન રીંડાણીની ભાણવડ મામલતદાર તરીકે બદલી થઇ છે.તેમના મેજીસ્ટ્રેરીયલ બ્રાન્ચના સમયગાળામાં મહત્વની કામગીરીની જામનગરના હાલ અને પૂર્વ અધિકારીઓએ પણ પ્રશંશાપાત્ર ગણી છે.