Mysamachar.in-જામનગર:
જામનગરમાં પણ બહારથી આવેલા લોકોને કારણે દિવસે ને દિવસે કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે, આજે જામનગરમાં વધુ બે કેસ નોંધાયા છે, જેમાં 25 વર્ષીય મસીતીયા ગામની મહિલા જયારે બીજા કેસમાં ઘાંચીવાડમાં રહેતા 42 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જામનગર એસપી ના જણાવ્યા મુજબ બન્ને મંજુરી વિના જામનગરમાં પ્રવેશ્યા નું સામે આવ્યું છે.જેમાં એક મહિલા ખંભાલીયા જયારે બીજી મહિલા અમદાવાદથી આવી છે.