Mysamachar.in-જામનગર:
વિધાનસભાની ચુંટણીને લઈને સમીકરણો દિવસે ને દિવસે બદલતા હોય છે, ક્યારેક કોઈ સીટ એક પક્ષ તરફ તો ક્યારેક બીજા પક્ષના ઉમેદવાર તરફ ઝુકાવ કરતી હોય છે.આવું જ જામનગર જીલ્લાની લાલપુર જામજોધપુર વિધાનસભા સીટ પર જોવા મળી રહ્યું છે. બે ત્રણ દિવસ પૂર્વે આ બેઠકનું ચિત્ર જરા જુદું હતું પરંતુ શનિવારે થયેલો ચુંટણીપ્રચાર અને સમાજના આગેવાનો સાથે અને અન્ય રાજકીય પક્ષોના આગેવાનો સાથેની ગુપ્ત બેઠક આ સીટ ભાજપના ઉમેદવારને જીત તરફ દોરી જનાર સાબિત થશે તેવા સમીકરણો હોવાનું સુમાહિતગાર સુત્રો પાસેથી જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભા ચુંટણીમા ચોમેરથી કમળખીલે તે માટે ભાજપ રાત દિવસ એક કરે છે ત્યારે માત્ર અનુભવી જ નહી કોઠાસુઝ ધરાવતા જામજોધપુર લાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચીમનભાઇ શાપરીયા તરફી વાતાવરણ છેલ્લા બે દિવસ દરમિયાન બન્યું હોય તેમ તાજો સર્વે જણાવે છે જે મુજબ હાલની સ્થિતિએ જામજોધપુર બેઠક ભાજપને મળશે તેમ જણાવી રાજકીય વિશ્લેષકોએ ઉમેર્યુ છે કે ગુજરાત મોડલથી લોકો તો આકર્ષાયા જ છે સાથે સાથે 80-જામજોધપુર બેઠક જેમા લાલપુર અને જામજોધપુર બે તાલુકા આવે છે તેના ભાજપના ઉમેદવાર પુર્વ કેબીનેટ મીનીસ્ટર ચીમનભાઇ શાપરીયા નીવડેલા છે આ જ કારણથી તેઓ લોકોને ગમતા માનીતા જાણીતા ઉમેદવાર છે અને માટે જ સૌ રસપુર્વક પ્રચારમા લાગી જતા ચિત્ર કલાકોમાં જ પલટી ગયું છે.
ગુજરાત વિધાનસભા ચુંટણી આ વખતે નિત નવા કારસાથી ભરેલી છે જો કે જામનગર જિલ્લામા બીજી અમુક બેઠકની જેમ જ ઉજળુ ચિત્ર જામજોધપુર બેઠકનુ છે, હાલ એક જ પક્ષ પુરતી સમીક્ષા કરીએ તો પુર્વમંત્રી હિટ છે વિન થાય છે એટલે પોતાના હરીફોની વિકેટ પાડવા સક્ષમ છે તેમ ગ્રામજનો યુવાનો સૌ જણાવે છે
શાસકપક્ષ ભાજપએ આ ઉમેદવાર પસંદગીમા ખુબ ચિંતન કર્યુ હતુ કેમકે દાવેદારો ઘણા હતા ત્યારે દરેક રીતે જનતાના માનીતા ઉમેદવાર તરીકે ચીમનભાઇ શાપરીયા ઉભરી આવ્યા છે તેમજ તેમની તો લોકપ્રિયતા છે જ માટે લોકોમા ઉમળકો દેખાય છે અને હાલ હજુય અવિરત પ્રચારમા તેમને ઉમળકાભેર ઠેર ઠેર લોકો આવકારે છે.સમગ્રપણે 80-જામજોધપુર બેઠક જેમા જામજોધપુર અને લાલપુર તાલુકા આવે છે અને ભાજપના ઉમેદવાર ચીમનભાઇ શાપરીયા પુર્વમંત્રી છે, તે આ વખતે નિવડેલા સાબિત થાય તેવી હાલની સ્થિત હોઇ જામજોધપુર બેઠક ભાજપના ભાથામા છે, જ તેવો રાજકીય વિશ્લેષકોનો સર્વે છે જેનો વિશેષ અભ્યાસ થઇ રહ્યો છે.
જામજોધપુર શહેર ઉપરાંત પણ ચીમનભાઇ ગામડાઓની જનતાની પડખે કાયમ ઉભા છે, અને રજુઆતો કરી ખેડૂતોને લાભ વહેલાસર અપાવતા જ રહ્યા છે ક્યારેય જનસેવામા ભેદભાવ કર્યા નથી અને પ્રજા માટે રોડ પાણી શિક્ષણ આરોગ્ય પરિવહન વગેરે પ્રાથમીક સુવિધા માટે અવિરત સક્રિય રહ્યા છે.. ને ખેડૂતોની બચત થાય લોન ધીરાણ ખાતર સહિત અનેક પ્રશ્નો ઉકેલાય તે માટે તો ચીમનભાઇ શાપરીયાએ કાયમ જાગૃતિ દર્શાવી હોય હાલ ગમે ત્યા પ્રચારમા જાય ત્યા જમાવટ થાય છે અને સઘન પ્રચાર થઇ રહ્યો છે જેનો સારો પ્રતિભાવ ખુબ મળે છે, માટે ચીમનભાઇની જીત સરળ અને નક્કી હોવાનું માનવમાં આવી રહ્યું છે.
આમ એકંદર જામજોધપુર બેઠકમાં ચીમનભાઇ શાપરીયા વિન થશે કેમકે ચિત્ર જે પલટાયુ છે, ત્યારે ચીમનભાઇ તરફી પ્રચંડ લોકજુવાળ જોવા મળે છે, અને લોકો કોંગ્રેસને મત આપી અને પસ્તાઈ રહ્યાની અનુભૂતિ કરે છે. એવામાં ઠેર ઠેર કમળ ખીલવવાની જ વાત છે અને માઇક્રો મેનેજમેન્ટ દ્વારા નાની પરંતુ અંકે કરતી સભાઓ યોજી લોકસંપર્કમા ખુબ સજ્જડ પ્રતિસાદ અને ઉમળકો જોવા મળે છે અને ચીમનભાઇ શાપરીયા માટે એવુ કહેવાય છે કે ફરીથી ધારાસભ્ય તરીકે “અમારે જોઇએ છે પુર્વ મિનિસ્ટર શાપરીયા સાયબ”