Mysamachar.in-જામનગર:
સરકાર દ્વારા બાયોડીઝલ વેચાણ ના કરવાની વારંવારની સુચનાઓ બાદ પણ કેટલાક ઇસમો નિયમોની અવગણના કરી અને જોખમી એવા બાયોડીઝલનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે જામનગર જીલ્લાની જામજોધપુર પોલીસે આવા જ એક રેકેટ પર છાપેમારી કરી ચાર ઇસમો સામે ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના તરસાઈ નજીક ગપતીયા નેશ પાસે મનોજ જીકાભાઈ સોલંકી અને મુકેશ ભીખાભાઈ બાંભવાએ પેટ્રોલીયમ પ્રવાહી ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થો ફાયર સેફ્ટીના કોઇ સાધન રાખ્યા વગર હેરફરે કરી તથા જીતેન્દ્ર પ્રેમજીભાઈ કથીરિયાએ આ પેટ્રોલીયમ પ્રવાહી ભેળસેળ યુક્ત બાયોડીઝલનો જથ્થો સપ્લાય કરી મોકલી આપી તથા દેવખી કાનાભાઈ ગોજીયાએ આ પેટ્રોલીયમ પ્રવાહી ભેળસેળ યુક્ત બાયોડીઝલનો જથ્થો મંગાવી તમામ આરોપીઓએ આર્થીક લાભ લેવાના ઇરાદે ગેરકાયદેસર રીતે વાહનોમા ઇંધણ તરીકે ઉપયોગ કરવાના ઇરાદે હેરફેર કરી જે બાબતે પેટ્રોલીયમ અને પ્રાકુતીક ગેસ મંત્રાલય ભારત સરકાર નવી દિલ્લીના રાજપત્રમા પ્રસીધ્ધ કરેલ નોટીફીકેશ મુજબ વેચાણના આઉટ લેટ માટે જરૂરી મંજુરી નહી મેળવી નોટીફીકેશન મુજબના બાયોડીઝલના પેટ્રોલીયમ ક્લાસ-બીના ધારાધોરણો નહી જાળવી આરોપીઓએ આર્થીક લાભ મેળવવા માટે સરકાર દ્વારા નિયમન થતા પેટ્રોલીયમ પ્રોડક્ટનો કોઇ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર કે મંજુરી વગર બેદરકારીભર્યુ આચરણ કરી ગેરકાયદેસર રીતે હેરફેર તથા સંગ્રહ કરી બોલેરો પીકપ રજી.નંજીજે-3બીવી-1941 ના વાહનમા પેટ્રોલીયમ પ્રવાહી બાયોડીઝલનો જથ્થો કુલ-2000/-લીટર જેની કી.રૂ.1,30,000/- સાથે બે શખ્સો મળી આવ્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.