Mysamachar.in-જામનગર:
જામનગર પર જયારે આફત આવે ત્યારે હમેશને માટે લાલ પરિવાર તંત્ર અને લોકોની પડખે યથાયોગ્ય મદદ કરવા માટે ઉભો જ હોય છે, તેના માટે તેને બોલાવવા જવાની જરૂર રહેતી નથી, તે બાબત જામનગર શહેરના લોકો સારી રીતે જાણે છે, હાલમાં પણ દેશ-દુનિયામા કોરોના વાયરસની મહામારી સમયે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં ફરી એક વખત લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સેવાના સરવાણીઓ શરુ કરી અને લોકઉપયોગી કાર્યો કરવા માટેની વધુ એક તકને ઝડપી લીધી છે,
કપરાકાળમાં લાલ પરિવાર દ્વારા કોઈ ભૂખ્યા ન રહી જાય તે માટે રજવાડું હોટેલ ખાતેથી અતિ સાત્વિક ભોજન બન્ને ટાઈમ બનાવી અને જરૂરિયાતમંદ સુધી ટ્રસ્ટના કાર્યકરો દ્વારા જ પહોચાડવામાં આવે છે, તે જ રીતે તંત્રને મદદ કરવા માટે રાહતસામગ્રીની કીટ, અને ટ્રસ્ટના વાહન દ્વારા શહેરભરમાં અસરકારક અને માન્ય કેમિકલ વડે સેનેટાઈઝ કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવે છે. આ બધી જ ટ્રસ્ટની કામગીરી ઉપરાંત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સી.એમ ફંડ, પી.એમ ફંડ અને જામનગર કલેકટરને આપવામાં આવેલ કુલ 51 લાખના અનુદાનની રકમમાં 11 લાખ જેટલી માતબર રકમની સહાય કપરાકાળમાં લાલ પરિવાર દ્વારા આપી અને સેવાનું એક મોટું ઉદાહરણ અન્યો માટે પણ પ્રેરણાપૂરું પાડતું છે.