Mysamachar.in-જામનગર:
છોટીકાશીનું બિરુદ ધરાવતા જામનગરની પાવન ધરતી ઉપર સૌ પ્રથમવાર પૂજયપાદ અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારી રહ્યા છે, ત્યારે તેમના આગમનને વધાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ ધારાસભ્ય દ્વારા ધર્મસભા અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પણ પોતાના નિવાસસ્થાને કરવા આવ્યું છે.
પૂજયપાદ અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આગામી તા.27/10/2022 ને ગુરુવારના રોજ જામનગરમાં સૌ પ્રથમ વખત પધારી રહ્યા છે. તેમનું ગાંધીનગર મેઈન રોડ ખાતે આગમન થશે ત્યાંથી મનહર વિલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના નિવાસ સ્થાને પહોચશે. ત્યાં સાંજે 4:30 કલાકે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે,સાથે-સાથે નુતન વર્ષ 2079ના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ બન્ને કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતા સહિત સ્નેહીજનોને તેમજ શહેરીજનોને ઉપસ્થિત રહેવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)દ્વારા જાહેર હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુર શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ જામનગરની પવિત્ર ધરતી ઉપર પધારી રહ્યાં હોય ત્યારે તેમનું જામનગરની ધર્મપ્રેમી જનતા દ્વારા તેમજ સંતો, મહંતો અને મહાનુભાવો દ્વારા ભવ્યથી અતિભવ્ય સ્વાગત તા. 27/10/2022 ગુરુવારના રોજ જામનગર ખાતે કરવામાં આવશે, ત્યારબાદ ત્યાથી ખાસ રથમાં બિરાજમાન સાથે જગદગુર શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની શોભાયાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર મેઇન રોડથી થશે અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના નીવાસસ્થાને મનહરવિલા ખાતે આ શોભાયાત્રા પોહશે. ત્યાં ધર્મસભામાં પરિવર્તિત થશે. આ શોભાયાત્રા દરમ્યાન જુદી-જુદી સંસ્થાઓ તેમજ રાસ મંડળીઓ, મહિલા મંડળો અને યુવક મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રામાં કેશરિયા સાફા સાથે બાઇકો તથા મોટી સંખ્યામાં વાહનો રહેશે.
મનહર વિલા ખાતે તા.27/10/2022 ગુરુવારે સાંજે 4:30 વાગે ધર્મસભાની સાથે-સાથે બ્રાહ્મણોના મંત્રોચાર સાથે દ્વારકાશારદા પીઠાધીશ્વર જગતગુર શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાદુકા પૂજનવિધિ સંપન થશે. ત્યાર બાદ સંતો-મહંતો દ્વારા નુતન વર્ષ નિમિતે ધર્મસભામાં ઉપસ્થિત લોકોને આશીર્વચન પાઠવશે. આ ધર્મસભાની સાથે 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકૂભા) દ્વારા દીપાવલીના પાવન પ્રસંગે અને વિક્રમ સવંત 209 નૂતનવર્ષ એટલે નવું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ સભર રહે તે માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે, તો સર્વે સ્નેહીજનોની ઉપસ્થિત રહેવા ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.