Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનું સ્ટોર્સ ખાતુ જાણે કબાડી ખાતુ બનતુ જતુ હોય તેવુ ચિત્ર ઓડીટ રિપોર્ટ અને તેના ઉપરથી સ્ટેન્ડીંગ કમીટીએ કરેલા ઠરાવ ઉપરથી ઉપસે છે, તેમજ પ્રજાના નાણાનો બેફામ દુરૂપયોગ કેમ કે સ્ટોર્સશાખા અંગે જે ટીકાત્મક નોંધ થઇ છે, તે મુજબ સંબંધીત શાખા દ્વારા જરૂરિયાત કરતા વધુ ખરીદીનો બીનજરૂરી ખર્ચ કરવામા આવતો હોવાથી વર્ષ દરમ્યાન નજીવો વપરાશ કે કોઇ જાતના વપરાશ વગર સ્ટોક પડ્યો રહે છે અને પડતર માલસામાન સમયાંતરે રદિ થવા ભાંગતુટ થવા બિનવપરાશી પડ્યા રહે છે. જેના પરથી તારણ નીકળે છે, મનપાનું આર્થિક હિત જોયા વગર ખોટો ખર્ચ થયા જ કરે છે માટે જ જાણકારો સવાલ કરે છે કે મનપાનુ સ્ટોર ખાતુ કે ખર્ચનુ કારખાનુ? હજુ આટલુ પુરૂ ન હોય તેમ ઉપરથી ઓડીટ ને પુરી માહિતી અપાતી નથી તાજેતરમા ઓડીટ પેરા ઉપરથી પંદર દિવસમા ખુલાસો આપવાનુ સ્ટેન્ડીંગ કમીટીએ કીધુ તે પણ સ્ટોર્સ શાખાના જવાબદારોએ ગણકાર્યુ જ નહિ હોવાનું પણ લાગે છે.