Mysamachar.in-જામનગર
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન યોજના)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા 0 થી 20 નો સ્કોર ધરાવતા કાર્ડધારક કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ)નું કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ થાય તથા મૃત્યુ પામનાર પુરુષ/સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા કુટુંબને એક વખત રૂ. 20,000 ની સહાય ડીબીટીમારફત મળવાપાત્ર છે. આ માટે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ)ના મૃત્યુ થયાનાં બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે. જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અથવા સમાજ સુરક્ષા શાખા (મામલતદાર કચેરી ખાતે કાર્યરત)નો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.