Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં હાલ કોવીડ-19 કોરોનાના કેસોમાં તથા તેને કારણે મૃત્યુદરમાં સતત વધારો થઈ રહેલ હોય તેમજ કોવીડ-19 થી થતાં સંક્રમણને ધ્યાને રાખી મૃતદેહની અંતિમવિધિ માટે નિયમ પધ્ધતી અનુસરવી જરૂરી હોય આથી પ્રમુખ સ્મશાન વ્યવસ્થા સમિતિ માણેકબાઈ સુખધામ નાગેશ્વર રોડ જામનગર તથા ગાંધીનગર સ્મશાનગૃહ સમિતિ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કે કોવીડ-19 મહામારી સિવાય અન્ય કોઈ પણ રીતે મૃત્યુ પામેલ વ્યક્તિઓના મૃતદેહને અંતિમવિધિ માટે જામનગરમાં કાર્યરત બન્ને સ્મશાનગૃહો પૈકી કોઈ પણ સ્મશાનગૃહે લઈ જતાં પહેલા નીચે જણાવેલ સંપર્ક નંબર પર સંપર્ક કરી સ્મશાન ગૃહના સંચાલક પાસેથી સમય મેળવ્યા બાદ જ મૃતદેહને અંતિમવિધિ માટે સ્મશાનગૃહે લઈ આવવા વિનંતી છે.
જેથી સ્મશાનગૃહના સંચાલકો દ્વારા કોવીડ-19 મહામારીથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહ ના નિકાલ અંગેની પ્રક્રિયા અલગથી હાથ ધરી શકાય.આમ અત્યાર સુધી બધા જ સ્થળોએ એપોઇન્ટમેન્ટ પ્રથા હતા તે વર્તમાન સંજોગોમાં જામનગરના બન્ને સ્મશાનોમાં પણ અમલી બનાવવાની સ્થિતિનું નિર્માણ થયું છે.
1. સોનપુરી સ્મશાનગૃહ નાગનાથ ગેઇટ જામનગર – (0288) 2550225, 2510251
2. ગાંધીનગર વિસ્તાર ખાતે કાર્યરત સ્મશાનગૃહ – 87339 39390