Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફીસર તરીકે ફરજ બજાવતા અને આકાઓની મહેરબાનીથી અન્ય ચાર્જ પણ પોતાની પાસે રાખીને બીજાનો વારો ના આવવા દેતા ટેક્સ ઓફિસર જી જે નંદાણીયા સામે તેના જ ઉપરી અધિકારી આસી.કમિશ્નર ટેક્સ દ્વારા આધાર પુરાવાઓ સાથેનો તલસ્પર્શી અહેવાલ કમિશનરને સુપ્રત કરવામાં આવ્યા બાદ મહિનાઓના મહિનાઓ વીતી ચુક્યા ત્યાં સુધી કે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ તાજેતરમાં જ my samachar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેં આ મામલે કમિશ્નરને તટસ્થ તપાસ કરવા અને જો તેની સામે પુરાવાઓ અને આક્ષેપો સાબિત થાય તો પગલા લેવા ભલામણ કરવામાં આવી હોવા છતાં પણ કોઈના ખભાનો લાભ મેળવીને નંદાણીયા કાર્યવાહીથી બચી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે,
અરે ત્યાં સુધી કે આ મામલે ખુદ શાશક પક્ષના એક સભ્ય પણ કમિશનરને બેક વાર પત્રો લખી રજૂઆત કરી ચુક્યા છે, છતાં પણ તપાસમાં કરવામાં આવતી સકારણ ઢીલનો મામલો આજે મળેલ મનપાની સામાન્ય સભામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો, જામનગર મનપા વિપક્ષ નેતા અલ્તાફ ખફી અને વિપક્ષ મહિલા લડાયક સભ્ય રચના નંદાનીયાએ આજે આ મામલે સામાન્ય સભામાં જ વિવાદિત ટેક્સ ઓફીસર નંદાણીયા પર જે આક્ષેપો કર્યા તે સ્તબ્ધ થઇ જવાય તેવા છે,
અરે કોર્પોરેટર રચના નંદાણીયાએ તો ત્યાં સુધી આક્ષેપો કરતા કહ્યું કે એસ આઈ નો કોર્ષ કરીને આવેલ ટેક્સ ઓફિસર નંદાણીયાને જામનગરની તિજોરી હવાલે કરી દીધી છે, અરે આ તો ઠીક પણ એ સિવાય પણ તેને આપવામાં આવેલ બીજા ત્રણ ચાર્જમાં તેને કેટલું લણ્યું હશે,.? અને કોઈ ચઢાવ પાસ તપાસ કરી રહયાનો આક્ષેપ કરતા કહ્યું કે ખુદ કમિશ્નર આ મામલાની તપાસ કરી દૂધનું દૂધ પાણી નું પાણી કરે તેવી વાત તેવોએ અધ્યક્ષ સમક્ષ મૂકી….
આજે આ રજૂઆત પરથી એવું લાગે છે કે તપાસ યોગ્ય દિશામાં થઇ રહી નથી અને માત્ર ને માત્ર કોઈ ને ઇશારે નંદાણીયાને બચવામાં આવી રહ્યા છે, અરે જે અધિકારીએ તમને અહેવાલ કર્યો છે તેની તપાસ કરીને સામે તો મુકો કે સાચું શું છે..? જો કલીનચીટ આપવાની હોય તો તે પણ જાહેર કરી દેવી જોઈએ ત્યારે હવે આ મામલે શાશકો પણ ઘેરાઈ રહ્યા છે અને વિપક્ષ દ્વારા શાશકપક્ષ સામે પણ આંગણી ચિંધાઈ તે સ્વાભાવિક છે,આજે જામનગર મનપાની સામાન્ય સભામાં વોર્ડ નમ્બર 4 ના કોર્પોરેટર દ્વારા ટેક્સ ઓફીસરને લઈને પૂછવામાં આવેલ સવાલોનો શું જવાબ મળ્યો તે સવાલ અને જવાબના લેખિત પ્રત્યુતર અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્ન : એ.એમ.સી. (ટેકસ) દ્વારા તા.10-05-2021 અને તા.10-08-2021નાં એમ કુલ-2 વખત નંદાણીયા વિરૂદ્ધ જામનગર મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરીને આર્થિક નુકસાન કર્યા અંગેનો રીપોર્ટ કરેલ છે. તો આ અરજીનાં અનુસંધાને તેનાં વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે જણાવશો.
જવાબ : ૨જુ કરેલ રીપોર્ટનાં આધારે અત્રેથી હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવામાં આવેલ અને કરેલ રીપોર્ટનાં રેકર્ડ આધારીત આક્ષેપો બાબતે નિષ્કર્સ તપાસની કાર્યવાહી ચાલુ હોય જે પૂર્ણ થયેથી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશ્ન : પ્રથમ રીપોર્ટ કર્યાનો આજે લગભગ 4 મહીનાં જેવો સમય થઇ તો પણ તેનાં વિરૂદ્ધ કોઇપણ જાતનાં પગલાં કયાં કારણોસર લેવામાં આવેલ નથી તે જણાવવાં.
જવાબ : રજુ કરેલ રીપોર્ટનાં આધારે અત્રેથી હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવામાં આવેલ અને કરેલ રીપોર્ટનાં રેકર્ડ આધારીત આક્ષેપો બાબતે નિષ્કર્સ તપાસની કાર્યવાહી ચાલુ હોય જેપૂર્ણ થયેથી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશ્ન : નંદાણીયા પોતે ટેકસ ઓફિસર સ્ટોર કન્ટ્રોલિંગ વ્યવસાય વેરા અધિકારી ઓફિસ સુપ્રિટેન્ડન્ટ શાખા અગત્યની ચાર ચાર શાખાનાં હવાલા છે તે પણ સમજાઇ તેવું સમ્ય છે કારણ કે એક તરફ સંસ્થાનાં કર્મચારીને પ્રમોશન મળતા નથી અને બીજી બાજુ આ ભ્રષ્ટાચાર નંદાણીયાને ચાર ચાર શાખાનાં હવાલા જાણે બિલાડીને દુધનાં રખોપા કરવા થેવો થાય છે. તે પછી આ ભ્રષ્ટાચારી નંદાણીયા વહિવટનો કમાવ દિકરો હોવો જોઇએ તો જ તેને અમલી ખાતાનો વડો બનાવવામાં આવેલ છે તેનાં વિરૂદ્ધ કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેની માહિતી આપવી
જવાબ : જી. જે. નંદાણીયા, ટેકસ ઓફિસરને ખાતાના કામની અને વહિવટી સરળતા ખાતર સ્ટોર કન્ટ્રોલીંગ ઓફિસર, વ્યવસાય વેરા અધિકારી તેમજ ઓફિસ સુપ્રિટેન્ડન્ટની જગ્યા ઉપરનો ચાર્જ આપવામાં આવેલ છે.
પ્રશ્ન : જો આ ભ્રષ્ટાચારી નંદાણીયા વિરૂદ્ધ ડીસમીસ કરવાનાં પગલા ભરવામાં નહી આવે તો અમારા દ્વારા જામનગરની જનતા વતી એન્ટી કરપ્શન અને વિજીલન્સ શાખામાં વિરોધ કરવામાં આવશે. કારણ કે કોર્પોરેશનની આર્થિક તિજોરીને નુકસાન કરેલ છે.
જવાબ : આ પ્રશ્નોતરી સ્વરૂપનો સ્વાલ છે .
-બે ગાય અંદર આવી જાય તો સિક્યુરીટીગાર્ડ સસ્પેન્ડ થઇ જાય તો ટેક્સ ઓફિસર સામે શા માટે કાર્યવાહી નહી..?
તાજેતરમાં જ મનપાના એક સિક્યુરીટી ગાર્ડ ઇદ્રીશને મનપામાં ગાયો ઘુસી જતા તત્કાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો તો ટેક્સ ઓફીસરમાં પુરાવાઓ સાથેના અહેવાલ બાદ ચાર ચાર માસથી ચાલી રહેલ તપાસ શા માટે પૂર્ણ નથી થતી અને નાના કર્મચારીઓ આમ હોય તો તેને અત્યાર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોત પણ અહી તો ખીલાને જોરે કુદનાર હોય માટે અધિકારીઓ તપાસમાં વિલંબ કરી રહ્યા છે કે શું.?