Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનનુ કચરા ખાતુ એટલે કે સોલિડવેસ્ટ વિભાગ એક તરફ વર્ષે 30 કરોડનુ આંધણ કરે છે, પરંતુ કોઇ જાતના વ્યવસ્થિત અને નિયમાનુસારના હિસાબ રાખતા ન હોવાનુ છેલ્લા ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે, આ રિપોર્ટ ઉપરથી સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવ કર્યો છે કે સોલિડ વેસ્ટ શાખા હસ્તક ના બીલોમા જીએસટી અંગે સફાઇ કામગીરી ઓપરેશન અને મેન્ટેનન્સ ના બીલો અંગે કચરા નિકાલની કામગીરીમા રોકાયેલા વાહનોમા જીપીએસ સીસ્ટમ અમલવારી અંગે ડીઝલ કે સ્પેર પાર્ટસ ખરીદી મીનિ ટીપર કોમ્પેક્ટર માટે ટાયર ખરીદી ઢોર ટ્રાન્સપોર્ટેશન વિગેરેના કામ માટે જમા બુક ડીઝલ વપરાશની નોંધ થવી તે માટે પણ સ્પેરપાર્ટસ ખરીદી અંગે વાહનના હિસ્ટ્રીબુકમા નોંધ મેઝરમેન્ટ બુકમા ફેરાની નોંધ અંગે સંપુર્ણપણે નિયમોના પાલન થતા નથી તેમજ ઢોર માટેના ઘાસ ખરીદી અને વપરાશના રજીસ્ટર નિભાવાતા નથી, એક તરફ પ્રજાના વેરાની જંગી રકમ ખર્ચતુ કચરા ખાતુ સફાઇ જાળવ વા મા તો ફેલ છે ઉપરથી હિસાબમા પણ ગરબડ હોઇ ગેરરીતિની આશંકા સહેજે થાય એ સ્વાભાવિક છે.