Mysamachar.in-જામનગર
શિક્ષણ વિભાગની માનીતી ગણાતી મોદી સ્કુલે એક તરફ સરકારના ફી ડીસ્કાઉન્ટના આદેશનો ઉલાળીયો કર્યો હોઇ વાલીઓને ત્રાસદાયક સ્થિતિમા મુકાયા છે, એટલુ જ નહી વાલીઓ ફી મા ડીસ્કાઉન્ટની કાયદેસરની માંગણી કરે તો તેમના ભવિષ્ય બગાડવાની ધમકી આપતા હોય આ સંચાલકો સ્કુલ ચલાવે છે કે માફિયાગીરી કરે છે તેવા સવાલ લોકોમા ઉઠ્યા છે અને શુ આ લોકોને કોઇ કેવાવાળુ કે નાથવાવાળુ નથી?? શુ સરકારના નિયમો મોદી સ્કુલને પાળવાના નથી?? તો તુરંત આકરા પગલા લેવાતા કેમ નથી?? વગેરે અનેક સવાલ અને આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરી અને જિલ્લા શિક્ષણ કચેરી અને શિક્ષણ વિભાગ સામે સવાલો કર્યા છે,
સમગ્ર દેશમાં ઉપસ્થિત થયેલ covid-19 મહામારીને કારણે તા.16/03/2020 થી રાજ્યની તમામ શાળાઓ (સરકારી ગ્રાન્ટ-ઇન-એઈડ, સ્વનિર્ભર) બંધ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે, અને આવા કપરાકાળ વચ્ચે સરકારના આદેશ અનુસાર ગુજરાતની તમામ શાળાઓની શૈક્ષણિક ફી મા 25% ની રાહત આપવામાં આવે તેની જાહેરાત કરાઈ છે, જેનું જામનગર શહેરના શરૂ સેક્સન રોડ પર આવેલ મોદી સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની મનમાનીથી તમામ નીતિ નિયમો અને સરકારી આદેશોનું ઉલ્લંઘન કરી તમામ વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારની રાહત આપ્યા વગર 100% ફી વસુલ કરી.
તેમજ જો કોઈ વાલી સરકાર દ્વારા જાહેર કરેલ ૨૫% ફી માફીની વાત કરે તો તેમના બાળકોનું ભવિષ્ય ખરાબ કરવાની ધમકી આપી દરેક વિદ્યાર્થી પાસેથી 100% ફી વસુલ કરેલ છે આવા શૈક્ષણિક માફિયાઓ દ્વારા જે ફી વસૂલ કરવામાં આવેલ છે તેના પુરાવા રજૂઆત કરનાર પાર્થ પટેલ પાસે હોવાની વાત કરી છે, ત્યારે હવે આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી આ વાતમાં કેટલું તથ્ય તેની તપાસ કરશે કે પછી રજૂઆત એળે જશે તે જોવાનું છે.