Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન જે રીતે ઓનલાઇન ફરિયાદ લે છે તેમ નિકાલ પણ ઓનલાઇન કરી નાખે છે ખરેખર ફરિયાદીનો પ્રશ્ન એમને એમ જ હોય છે આવી ઘોર નિષ્ક્રીયતામા કચરા-ગટર-ખાડા-ઢોર વગેરેની તો આમેય હોય છે, પરંતુ નગરમાં અંધારાના ઓળા વચ્ચે સ્ટ્રીટ લાઇટની ફરિયાદો એમને એમ છે ને નિકાલ દર્શાવાય છે આમેય છેલ્લા છ વર્ષનુ લાઇટ શાખાનુ અલગથી તલસ્પર્શી ઓડીટ કરવાની ખાસ જરૂર છે કેમકે એમાં જે ગોટા થયા છે તે અને ગેરરિતિઓ બહાર આવી જ નથી
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે ઓનલાઇન ફરીયાદ સેન્ટરમાં વર્ષ દરમ્યાન સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટ લાઇટ વિભાગની 15544 આવી હતી ત્યારે 1780 ફરિયાદોનો નિકાલ બાકી હોવાનું જાણવા મળ્યુ છે જેથી રોજની પચાસથી વધુ ફરિયાદ થઇ અને બાકી વણ નોંધાયેલી અલગ મળી રોજની ૧૦૦ કમ્પ્લેન તો થાય જ તેમ માની શકાય છે, આમેય ફરિયાદ ન મળે તો પણ મનપાના અધીકારીઓ પદાધીકારીઓ કર્મચારીઓ રોજ અવરજવર કરે છે તેવા મુખ્ય અનેક માર્ગો અને આંતરિક તો અસંખ્ય માર્ગો ઉપર અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ જ હોય છે તો શુ ફરિયાદ વગર પણ રિપેર ન થાય? આ જવાબદારો તે જોતા નથી કે આંખો મીંચી ને ચાલે છે તેમ પણ લોકો પુછે છે,
એક તો રોડ ઉપર ઢોર ખાડા ટ્રાફીક કુતરા વગેરેની વચ્ચે સ્ટ્રીટ લાઇટો બંધ હોય ત્યારે રાહદારીઓ તો ઠેબા જ ખાય છે તેવુ વારંવાર જોવા મળે છે, ખુબીની વાત એ છે કે સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કાગળ ઉપર રેગ્યુલર છે રેગ્યુલર બીલ મુકાય છે અને રેગ્યુલર ચુકવણા પણ થાય છે કેમકે મોટાભાગના રીપેરીંગ કોન્ટ્રાક્ટ મામકાઓના છે કાંતો માથુ ઉચકે તેવાઓના કે મળતીયાઓના છે તેમ પણ ચર્ચાય છે, આ સાથે જ દરેક શાખાઓની ફરિયાદમાં મોટાભાગે આવુ થાય છે પરંતુ લાઇટ શાખા મોખરે છે.
-એસ્ટેટમાં તો જાદુઇ ગાયબની પદ્ધતિ
તે સિવાય એસ્ટેટને મળતી દબાણ બાંધકામ નડતર વગેરેને લગત જે અરજીઓ મળે તેમાંથી તો મોટાભાગની તો “ગાય” ખાય જાય છે બાકી “મલાઇ” વાળી માં રસ લેવાય અને બાકી જેવી તેવી નિકાલની રખાય છે તેમ જાણકારોનો અભિપ્રાય છે કેમકે કાંતો ભલામણ કાંતો ભાગબટાઇ કામ કરી જતી હોવાના છડેચોક આક્ષેપો થાય છે