Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
હાલારના બંને જિલ્લામા IPS .દંપતીએ ચાર્જ લીધા છે, અગાઉ કલેક્ટર, કમિશ્નર, ડીડીઓ કમિશ્નર, એસપી કમીશનર એમ કપલ ફરજ બજાવી ચુક્યા છે, પરંતુ દ્વારકા તો જામનગરનો જ ભાગ હતો માટે બંને જિલ્લાના એસપી કપલ આવ્યાનો પ્રથમ વખત બન્યું છે, હા જામનગરના એસપી અને એસઆરપીના સેનાપતિ એમ કપલ ચોક્કસ કાર્યરત હતું, શ્વેતા શ્રીમાળી જામનગર અને સુનીલ જોશી દ્વારકા એસ.પી દંપતિએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાના તાગ મેળવી લીધા છે તેમજ શરૂઆતની મીટીંગ થીયરી અને સ્ટડી પરથી તેઓ પ્રીવેન્શન ઓફ ક્રાઇમ અને ડીટેક્શનના આગ્રહી હોવાનુ મનાય છે. અને બન્ને પોત પોતાના જીલ્લામાં બનતા ગુન્હાઓ અને ગુન્હેગારો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના જરાપણ મુડમાં હોય તેમ લાગતું પણ નથી, અને કાયદાની કડક અમલવારી કરાવવાના ચુસ્ત આગ્રહી હોવાનું લાગે છે.
આજે નવનિયુક્ત બન્ને જીલ્લાના પોલીસવડા સાથે “માયસમાચાર” દ્વારા વાતચીત કરી અને તેમના આવનાર સમયના અભિગમ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે જવાબો મળ્યા તેમાં જ બન્ને આઈપીએસ અધિકારીઓની ખુમારી દેખાઈ આવે છે, જામનગર એસ.પી.શ્વેતા શ્રીમાળીએ “માયસમાચાર” સાથેની વાતચીતમાં જણાવ્યું કે દરેક લોકો એક સારા નાગરિક તરીકેની ફરજ અદા કરે અને પોલીસ હરહમેશ લોકોની સેવા માટે કટિબદ્ધ છે, સ્વસ્થ સલામત અને સુરક્ષિત ગુજરાતનું સૂત્ર જામનગરમાં પણ સાર્થક થાય તેવા અમારા વિભાગના પ્રયાસો રહેશે, એસ.પી.શ્વેતા શ્રીમાળીએ વધુ વાતચીતમાં જામનગરમાં વ્યાજખોરીના દુષણ અને ભૂમાફિયાઓના ત્રાસ અંગે કહ્યું કે આવા તત્વો કાયદાનું પાલન કરે અન્યથા પગલા લેવામાં જરાપણ પોલીસ વિભાગ ચુકશે નહિ, અને કડકમાં કડક કાર્યવાહી આવી ફરિયાદો મળ્યેથી કરવામાં આવશે,
જ્યારે દેવભૂમિ દ્વારકા એસ.પી.સુનીલ જોશીએ “માયસમાચાર” સાથે ખુલ્લા મને વાતચીત કરતા કહ્યું કે જીલ્લામાં દારૂ જુગારની બદી જીલ્લામાં કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ, અને સ્ટાફને આ મામલે સતત રેઈડો કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે, અને આવી પ્રવૃતિઓ ચલાવનાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, અને પબ્લીકની પોલીસને લઈને કાર્યવાહીની જે અપેક્ષાઓ હશે તેના પર ખરા ઉતરવાનો પ્રયાસ કરાશે, વધુમાં દ્વારકા જીલ્લો ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે તેને લઈને શું પગલાઓ લેવામાં આવશે તેના જવાબમાં એસ.પી.સુનીલ જોશી એ જણાવ્યું હતું કે કોસ્ટલ પેટ્રોલિંગ સઘન કરવાની સાથે એસઓજી સહિતની ટીમોને તમામ સ્થળોએ બારીકાઇ પૂર્વક નજર રાખવા પણ સૂચનાઓ અપાઈ ચુકી છે,
હાલારના બંને જિલ્લાઓમા ન બનવાનુ કંઇ નહી બને લોકોને પોલીસ પર વિશ્વાસ રહેશે અને કાયદો વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ અને સલામતિ જળવાશે તેવી વ્યવસ્થા બનેલી રહેશે અપેક્ષા હાલ તુરંત નાગરીકોને આ આઇ પી.એસ.દંપતી પાસે છે, અને બંને આઈપીએસ અધીકારીઓ ચોક્કસ જીલ્લા માટે કંઇક કરી બતાવશે તેવા અભિપ્રાયો પણ મળે છે.