Mysamachar.in-જામનગર
જામનગર વીજવિભાગના ઉદ્યોગનગર વિસ્તારમા રહેણાકમા ઔધોગીક જોડાણ આપી કરોડો રૂપિયાનો વિભાગને ધુંબો મરાયો ( દેખીતુ છે વિભાગને ધુંબો વ્યક્તિ ગત ઉપરના જંગી લાભ માટે જ કરાયો હોય) અને તપાસમા પણ આવા ગેરકાયદેસર જોડાણના અનેક કેસ આવ્યા એટલું જ નહી આ સિવાયની પણ ઉદ્યોગનગર સબડીવીઝનમા રાજ કરનાર અને હવે સર્કલમા અડીંગો જમાવનારને છાયા – સમાણl – ગ્રહણ લાગવાનું નિશ્ચિત છે, કેમકે રાજ્યકક્ષાએ ચકચાર મચાવનાર કૌભાંડની સ્પેશ્યલ અધીકારીની નિગરાનીમા તપાસ શરૂ થઇ પરંતુ બાદમા આ કારસ્તાની અધીકારીએ જ કળા કરી કે તપાસ પુરી નથી થતી કે રિપોર્ટ ઉપર નથી પહોંચતો કે કંઇક રંધાય છે??? આવા અનેક મુદા જાણકારોએ ઉભા કર્યા છે.
આ સિવાયના પણ એમના નવતર તરકીબોવાળી જુદી-જુદી ગેરરિતિઓ અંગે PGVCL એમ.ડી. એ કડક સૂચના આપેલી છે. કહેવાય છે કે એમ ડી આ પ્રકરણમાં સતત અહેવાલો વિજિલન્સ પાસેથી મેળવી રહ્યા છે, આમ કંપનીના વડાની નિષ્ઠા અને સુચનાથી કોર્પોરેટ ઓફીસ કામ લાગી ગઈ છે, એડીશનલ ચીફ એન્જીનિયરની દેખરેખમા સઘન તપાસ કરવાની હતી, જેમાં તપાસનીશ એન્જીનિયર તપાસ કેમ ધીમી પાડીને આડે પાટે ચડાવી દેવામાં આવે તેવી રીતે ચલાવી પડતી મૂકી જે નવી શંકાને જન્મ આપનારી સનસનીભરી બાબત બનવા પામી છે,
કેમકે બબ્બે મહીના વિતી જવા છતા કંઇ પરીણામ આવ્યુ નથી અને આવ્યું છે તો મીડિયા સમક્ષ જાહેર કરવામાં શું વાંધો છે..? જીઆઈડીસી સબડીવીઝનના જે મુદા તપાસનીશ અધિકારી તપાસતા હતા જેમાંથી રહેણાંક ઝોનની વિગત વાળી તપાસ પાછળથી અધીક્ષક ઇજનેરને સોંપવામાં આવી જેની ચેકિંગ ઝુંબેશ પણ થઈ. અને દસ લાખના પુરવણી દંડકીય બીલો અપાયા હજુ એમાં પણ લાભકર્તા કોઈ ભ્રષ્ટ અધિકારી એ અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતી લીક કરેલી હોવાનું સંભળાય છે,
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાન્સફોર્મર જોબ બિલમાં અમુક ગંભીર ગરબડો જોવા મળતા તપાસનીસે તત્કાલીન અધિક્ષક ઇજનેરનો કાર્યાલય આદેશ માંગ્યો હતો, પરંતુ હવે જુની તારીખમાં આવો કાર્યાલય આદેશ શક્ય નથી, તેથી પહેલા ઉદ્યોગનગરમાં જુનિયર બાદમાં નાયબ ઇજનેર બાદમા સર્કલમા કાર્યપાલક બની પોતાનુ કુંડાળુ રચી તેમા મસ્ત એવા આ અધિકારીએ નિવેદન આપેલ છે કે મે આ મારા કાર્યક્ષેત્ર બહારની કામગીરી આ પહેલાના અધિક્ષક ઈજનેર મહેતાની સુચનાથી કરી છે.
ગજબ કહેવાય ને લાખોના બિલની મામલો હોય આવી બાબત મૌખિક આદેશથી સરકારી વિભાગોમાં ચાલે…? જોકે પાછળથી જાણવા મળ્યું કે આવી કોઈ લેખિત અને મૌખિક સૂચના હોવા અંગેની કોઈ માહિતી રેકર્ડ ઉપર નથી પૂર્વ અધિક્ષક ઈજનેર આ કામગીરી તેઓને સોંપેલ નથી તે સાબિત થયુ છે ત્યારે પોતાના કારસ્તાન ઉચ્ચ અધીકારી પર થોંપવાનો કારસો કર્યો પરંતુ એ સફળ રહ્યો નથી અને તે અધિકારીના હાથ હેઠા પડ્યા છે પરંતુ ત્યારબાદની કૌભાંડી જહેમત બધુ જ સંકેલો થાય તે દિશામા રહ્યાના આક્ષેપ જાણકારો કરે છે…
ત્યારે હવે એ જોવાનું કે તપાસનીશ અધિકારી તેનો અહેવાલ કંપનીનાં ચીફ એન્જીનિયર અને વીજીલન્સ ઓફિસર તેમજ મેનેજીંગ ડિરેક્ટર ને સોંપ્યો કે નહીં ? સોંપવાના છે કે નહીં? કે કઈક છુપાવાય રહ્યું છે??? તેવી શંકા સુત્રોએ દર્શાવી છે, તપાસનીશ અધિકારી દ્વારા આ ચાલી રહેલી તપાસને સંકેલો ન આવે તે માટે સત્ય આધારિત અહેવાલ કંપનીના અધ્યક્ષ, મેનેજીંગ ડિરેક્ટર તથા તકેદારી આયોગ, જીઇઆરસીના તાકીદે મોકલવો જોઈએ, કારણ કે આ આખી તપાસ હવે “શંકાના દાયરામાં લપેટાય રહી છે કેમકે કળા થઇ છે બધુ જ દબાવી દેવા પ્રયાસ થયો છે
અને કશું જ સત્ય જાહેર થતુ નથી માટે આ બાબતે જામનગર થી કોર્પોરેટ ઓફીસ સુધી કંઇક ગરબડ થઇ છે.? જે દબાણ થી ભલામણ થી કે અન્ય કોઇ રીતે થયાની જાણકારોમાં ચર્ચા છે.જો કે આ તમામ બાબતોમાં કેટલું તથ્ય તે અધિકારી મીડિયા સમક્ષ ખુલીને બોલે અહેવાલો સામે આવે તો જ થાય તેમ છે.