Mysamachar.in-જામનગર
જો મુકત ગગનનાં પંખીને એક દિવસ પાંજરામાં પુરો તો તેનું હૈયું કેવું મુંઝાય એ જ રીતે બાળકોનું મન છેલ્લા 10 મહિનાથી કોરોના મહામારીના ભયમાં કેદ થયેલ તે અનુભવ કેવો હશે ? તાજેતરમાં જ શાળા મર્યાદિત રીતે શરૂ થતાં બાળકોના જીવમાં જીવ આવ્યો છે. આ અનુસંધાને હાલમાં લંડનમાં સુપ્રસિધ્ધ તેમજ વિશ્વના 200 દેશોનાં 4 કરોડ વાંચક ધરાવતુ “ધી ઈકોનોમિસ્ટ” મેગેઝીન મેડમ એકતા સોઢાનું ઈન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો, લગભગ એક કલાક લાંબુ ચાલતું આ ઈન્ટરવ્યુ ખૂબ જ રસપ્રદ વાતો બહાર આવી.
જીવનનો એવો કાળ કે જે છેલ્લા શ્વાસ સુધી યાદ આવતા દરેક વ્યકતીને ભાવુક કરશે. તેવા કાળમાં ભુલકાઓના માનસ પર કેટલી ઉડી અસર પડી છે તેની ચર્ચા કરતા મેડમ એકતા સોઢાએ જણાવ્યું કે શાળાઓ બાળકના જીવનનું કેન્દ્ર બિંદુ છે 21મી સદીમાં ટેકનોલોજી આવતા આપણે શાળાથી મળતા પ્રેમ, હૂંફ, છાયા અને શિક્ષકની અવગણના કરી છે. કોરોના કાળમાં શાળાની ચાર દિવાલો અને ટેકનોલોજીને પડકારે તેવી લાગણીઓએ આપણે સૌને વિચારતા કરી દીધા છે.
બાળકનું માનસિક સ્વાથ્ય, બાળકની કારકિર્દી, શિક્ષકોનો પ્રેમ અને હૂંફ, જમાના સામે કદમથી કદમ મિલાવવું આવા બધા સંતુલીત પાસાને અવગણી ભણતર ભણતર માત્ર મોબાઈલ કે કોમ્યુટરની સ્ક્રીન પુરતુ જ રહી જાય તો શું થાય તે આપણે કોરોના કાળમાં જોયું, દિશા વગરનું જીવન અને ધુંધળુ ભવિષ્યની કલ્પના 15 માર્ચ 200 ના રોજ કોઈએ કરી ન હતી. આથિર્ક મહામારી સ્થળાંતર, ભુખમરો, બિમારી, ભુકંપ, અતીવૃષ્ટી અને સૌથી મોટું એકલતાપણું જેણે જીવનના પાયાને હલાવી નાખ્યા છે.
“ધી ઈકોનોમિસ્ટ’ સાથે વાત કરતા તેના પત્રકાર માર્ક જોનસન અને મેડમ એકતા સોઢા એ ચર્ચા કરી તેનાથી વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે છેલ્લા 10 મહિનાઓથી શાળાઓ બંધ રહેવાના કારણે ભારતના બાળકોના જીવનમાં સરેરાસ 450 બિલીયન ડોલરની આર્થિક ખોટ થશે, આનાથી બાળકો બાળ મજુરી તરફ ખસેડાશે, હજારો વિદ્યાર્થીઓ કયારે પણ શાળામાં પરત નહીં ફરે, દિકરીઓ ભણતર પુરું ન કરી શકતા નાની ઉમરે લગ્ન તરફ દોરાય તે પ્રકારના ઘણાં પ્રશ્નો જે દ્રશ્ય અને અદ્રશ્ય છે,
તે સમયની સાથે જ સામે આવશે. પત્રકાર માર્ક જોનસન ઈન્ટરવ્યુ ના અંતે ખુબ જ ભાવુક થઈ ગયા હતા. તેઓએ કહયું, કે ઓછા ખર્ચે શિક્ષણ આપતી સ્કૂલો. અને તેની વેદના હું ધારું છતાં પણ મારી કલમ થી રજુ નહી કરી શકુ પરંતુ જીવનનો નિયમ છે કે પડયા. પછી ખંખેરીને ઉભા તો થવું જ પડે એ વાત પર ઈન્ટરવ્યુને વિરામ આપ્યો.