Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન માટે ભાજપમા થી ટીકીટ મેળવવી આ વખતે ખુબ કપરૂ હોવાનુ ચિત્ર ઉપસ્યુ હતુ જોકે પ્રદેશ પ્રમુખના કડક વલણથી મોટા નેતાઓ પણ મુંઝવણમા હતા અને અમુકને ટેન્શન પણ હતા કે આપણા સચવાય જાય તો સારૂ યાર નહી તો આપણા માટે નુકસાનકારક બનશે પરંતુ એ બધા વચ્ચે પુર્વ મેયરો ,પુર્વ ડેપ્યુટી મેયરો, પુર્વ સ્ટેન્ડીગ ચેરમેનો તેમજ એક મોટા ગજાના હાલ સાઇડ લાઇનપણ ધીમે ધીમે ફરી લાઇમલાઇટમા આવવા બીજા રાજ્યમાથી ભલામણ કરાવનાર નેતાના અમુક વછેરૂઓ વગેરે અનેક મળી વીસથી વધુ કપાયા છે,
વળી પ્રદેશમાથી પક્ષે એવુ વિચાર્યુ કે પાર્ટીનુ કામ કરતા હોય તેમને તક મળે અને એકને એક જ ને તકો ન મળ્યા રાખે તેમજ યુવાનો મહિલાઓ આગળ આવે તે હેતુથી બેલેન્સ પસંદગી શીટ મોવડીઓના મતે બનાવાયાનો દાવો છે, પરંતુ વંશવાદ પરિવારવાદ વગેરેની દિલ્હી અમદાવાદ ગાંધીનગરથી ટીકા થાય છે તેમ છતાય જામનગર કોર્પોરેશનમાં આ વાદ અમુક રીતે ચાલ્યો તેની પાછળ શુ ગણીત છે? તો પછી જેટલા ને તક ન મળી તે દરેકના પરિવારવાળા કેમ નહી? આ પસંદ થયેલા પરિવારજનોને પ્રજાનો બહોળો સંપર્ક છે? કોઇ દિવસ પ્રજાના કામ કર્યા છે? કોઇના સુખદુખમા ભાગ લીધો છે? વગેરે અનેક ટીકાત્મક પ્રશ્નો અને ચર્ચાઓ જાગી છે.
– દરેક રીતે પંકાયેલાને દૂર રાખવા નવાનો અખતરો…સક્સેસ જાશે?
જામનગર મનપામા ઉમેદવારી માટે આ વખતે દોઢ ડઝન જ જુના જોગી જે હજુ પોતાને યંગ ગણાવે છે અથવા પાર્ટી જેમને યંગ ગણે છે તેવાને જ સ્થાન મળ્યુ તેની સામે પોણાચાર ડઝન નવા ઉમેદવાર છે, ત્યારે ભાજપ પ્રદેશનો આ અખતરો છે કે શુ? અખતરો સક્સેસ જશે કે શુ ? કે પછી અમુક ઘણી રીતે જનસેવામાંથી ધરાઇ ધરાઇ વર્ષોથી મેવા ખાધા રાખતા હોય (ભલે અમુકના ખ્યાલ આવે અમુકના ન આવે) તેવાને દૂર રાખવાનો ખેલ છે? કે ખરેખર કાર્યકર્તાઓને તક આપી બાકીના કાર્યકર્તાઓ માટે પણ આગામી સમય માટે આશા જગાવડાવી વધુ દોડતા કરવાનો પ્રયાસ છે? કે પછી જામનગર શહેર સંગઠન કક્ષાએથી વધુ ભારપુર્વકનુ ગણીત રજુ ન કરી શકાયુ માટે પ્રદેશે લોકોમાથી સર્વે કરાવી અમુક પસંદગી કરી છે? કે પછી કોઇ નેતાના સુચનો ધ્યાને લઇ ભલે નેતાઓના જ એવા અમુક નવા ચહેરાને સમાવાયા છે? આ તમામ ગણીત સફળ રહેશે ખરા? વગેરે સવાલ રાજકીય સમીક્ષકો એ જામનગર કોર્પોરેશનની યાદી જાહેર થઇ ત્યારથી ઉઠાવ્યા છે,
– મોટા નેતાઓના ગૃપનાને સાચવવા પડ્યા
જામનગરમા કોર્પોરેશનમા કોર્પોરેટર થવાના અભરખા તો ઘણા ને હોય માટે તેઓ તેમના આકા તેમના નેતા તેમના તારણહાર તેમના ગુરૂ કે તેઓ જેમના ગૃપના હોય તેવા નેતાઓ પાસે જાય એ દેખીતુ છે ( જુથવાદની ભાઉ ભલે ને ના પાડે…..) તો એ રીતે સમીક્ષા કરીએ તો આવા મોટા નેતા મોટા માથાના માણસોને સમાવી લેવામાં આવ્યા છે, આમેય નેતાઓની મહેનત એળે ન જાય કેમકે કાલ સવારે એને જ એના કામ આવે ને?
– પ્રજાનો વિરોધ ધ્યાને લેવો જોઇએ લોકશાહી છે….
લોકોને પોતાના વિસ્તારના પ્રશ્નો માટે કોણ નગરસેવક જોઈએ છે તે ધ્યાને લેવુ જ જોઇએ કેમકે લોકશાહી છે અને સ્થાનિક પ્રશ્ન માટે તો સ્થાનિક ઉપરાંત લોકોની વચ્ચે રહેનાર અને લોકપ્રિય વ્યક્તિ મહિલા કે પુરૂષ ઉમેદવાર લોકોને જોઇતા હોય તો ખોટુ શુ છે? તો ખાસ કરીને જો પ્રજાલક્ષી અભિગમ હોય તો પ્રજાની પસંદ ને સ્થાન આપવુ જોઇએ તેમ જામનગર ભાજપના કોર્પોરેટરો માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદથી શરૂ થયેલા લોકોના વિરોધ રજુઆત રેલી ભલામણો પ્રદર્શનો કકળાટ વગરે ઉપરથી સમીક્ષકોનો અભિપ્રાય છે.