Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે વિજયકુમાર ખરાડીએ ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી તેવો શહેરમાં શું ઘટે છે.? શું એવું કરી શકાય જેથી શહેરની રોનક વધુ થાય, શું સુધારાઓની જરૂર છે તેનો ગહન અભ્યાસ કરી રહ્યા છે અને સામે આવતી બાબતોમાં શું બદલાવો તત્કાલ લાવી શકાય તે માટેના પ્રયાસો તેવો કલાકો જોયા વિના કરી રહ્યા છે, સ્વાભાવિક જ 7 લાખથી વધુની વસ્તીનું આ શહેર રાજ્યની મહાનગરપાલિકાઓ પૈકીનું એક શહેર છે,એટલે શહેરીજનોની ઘણી અપેક્ષાઓ મહાનગરપાલિકાને લઈને હોય ખાસ તો “નગર” એટલે નળ ગટર અને રસ્તા આ તો પાયાની જરૂરિયાત છે, સાથે જ મનપાના કેટલીય ફરજો એવી છે જે લોકોને મળવી જોઈએ, એવામાં my samachar સાથેની એક મુલાકાત દરમિયાન કમિશ્નર વિજયકુમાર ખરાડીએ શહેરમાં શું બદલાવ લાવવો જોઈએ તેને લઈને ખુલ્લા મને ચર્ચાઓ કરતા જણાવ્યું કે…
“નગર” એટલે નળ ગટર અને રસ્તા આ બાબતે હું વારંવાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આકસ્મિક સાઈટ વિઝીટ કરું છું અને સુધારો જામનગર શહેરમાં થાય તે માટેના પ્રયાસો આરંભી દીધા છે, વધુમાં શહેર સ્વચ્છ રહે તે દિશામાં કાર્યવાહી થવી ખુબ જરૂરી છે માટે જ શહેરની સફાઈ પણ એટલું જ મહત્વ ધરાવે છે, સોલીડ વેસ્ટ શાખાને આ અંગે જરૂરી સૂચનાઓ વખતોવખત આપવામાં આવી રહી છે, વધુમાં અન્ય શહેરોમાં જે રીતે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે તે રીતે જામનગરમાં પણ કમાંડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવાનો વિચાર છે, જેનાથી ઘણી બાબતો કેમેરાની નજરમાં આવશે અને તે કંટ્રોલરૂમમાં આવતા પ્રશ્નોનો સીધો જ નિકાલ થાય તે દિશામાં કામગીરી થઇ શકે તેવો પ્રયાસ છે, જો કે વાતચીત દરમિયાન કમિશનરે શહેરને સ્વચ્છ બનાવવા મુદ્દે ભાર મુકતા કહ્યું કે લોકો પણ સફાઈ બાબતે જાગૃતતા દાખવે પોતાની દુકાન કે ઘર બહાર ડસટબીનમાં જ કચરો નાખવાનો આગ્રહ રાખે અને જયારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડી આવે ત્યારે તેમાં જ તે કચરો ઠાલવે જેથી લોકોના સહકારથી મહાનગરપાલિકા સ્વચ્છતાની દિશામાં વધુ આગળ જઈ શકે અને શહેર વધુ સ્વચ્છ અને સુંદર બની શકે તેમ વાતચીતના અંતે જણાવ્યું.