Mysamachar.in-જામનગર
આગામી ગણેશ મહોત્સવ નિમિતે શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે. પ્રિન્સીપાલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગર્વમેન્ટ ઓફ ગુજરાત તા.12/07/2011 ના ડાયરેકશન મુજબ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ 1986 ના સેકશન-5 તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ ના નિયમો હેઠળ મૂર્તિઓના નિર્માણકર્તા ધંધાર્થીઓ/આસામીઓએ નિયમોનું પાલન કરવાનું ફરજીયાત રહે છે. જે અંગે જામનગર મ્યુ.કમિશ્નર સતીશ પટેલ દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે , જેમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કર્તા પંડાલો/આયોજકો/મંડળો વિગેરેએ જરૂરી નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે,
– મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવું જ મટીરીયલ્સ વાપરવાનું રહેશે.
– આ મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણયુકત (ટોકિસક)ના હોય અને વાતાવરણને પ્રદુષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાનકર્તા ન હોય (બાયો ડીગ્રેડેબલ)તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે
– મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ નામનું મટીરીયલ્સ વાપરવું નહીં
– આ મૂર્તિઓના કલર કામમાં ટોકિસક અને નોન બાયો ડીગ્રેડેબલ કેમિકલ ડાઈનો ઉપયોગ કરવો નહીં
– મૂર્તિઓની મહતમ ઊચાઇ 9 ફૂટથી વધુ ન હોવી જોઈએ.
ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કર્તા પંડાલો/આયોજકો/મંડળો વિગેરેએ ઉપર મુજબના પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવી તથા તેની સ્થાપના પણ ન કરવી…અન્યથા આવી મૂર્તિઓ મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.