Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા ચુંટણીમા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર દિગુભા જાડેજા કોઇ પરિચયના મોહતાજ નથી દિગુભાનુ ” સિર્ફ નામ હી કાફી હૈ” તેમ એક સર્વે દરમ્યાન તેમની લોકપ્રિયતા વિશે લોકોમાથી જાણવા મળ્યુ છે, વિરેન્દ્રસિંહ જાડેજા એટલે કે દિગુભાના નામથી જાણીતા આ નેતાની લોકપ્રિયતા જોઇ હરીફોએ પ્રચાર કરવાનુ જ માંડી વાળ્યુ છે અને હરીફોની છાવણીમા સોંપો પડી ગયો છે, દિગુભા જાડેજા હાલમાં શહેર કોંગ્રેસના પ્રમુખનું પદ શોભાવી રહ્યા છે, ત્યારે પક્ષ દ્વારા તેની સક્ષમતાને જોઇને તેને જામનગર શહેરના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. દિગુભા જાડેજા વિષે આમ તો વિશેષ પરિચયની જરૂર નથી કારણ કે તે ખુદ એક ઓળખ છે,
લોકપ્રિયતા બોલવાથી નથી મળતી વ્યક્તિની સક્રિયતા સક્ષમતા સેવાભાવના સમજણ સુઝ વગેરેથી મળે છે અને આ બધા જ ગુણ એક સાથે જોવા હોય તો તે જોવા મળે છે, તે તમામ ગુણ દિગુભામાંછે, ત્યારે વિરેન્દ્રસિંહ જાડેજા જેઓ દિગુભાના નામથી જાણીતા છે તેમને આ જવાબદારી સુપેરે નિભાવવાનો સંકલ્પ કર્યો છે એટલુ જ નહી તેઓ સંગઠન રચના તેમજ ચુંટણી વ્યુહરચના માટે રાત દિવસ એક કરી રહ્યા છે.
દિગુભા વર્ષ 2004 થી રાજકરણમાં સક્રિય કાર્યકર તરીકે કોંગ્રેસમાં જોડાયા હતા ધીમે ધીમે પક્ષને અને પક્ષના આગેવાનોને વફાદાર રહી વિશ્વાસ કેળવવામાં તે સફળ થયા અને 2009માં શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ 2012 સુધી તેવો શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા અને અનેક મુદ્દાઓ પર સરકાર સામે લડત આપતા રહ્યા છે, તેમણે 2012 અને 2017 ની વિધાનસભા ચુંટણી અને 2019 ની લોકસભાની ચુંટણીમાં પક્ષના ઉમેદવારો માટે ખૂબ સહત મહેનત કરી છે, તો તે 2013 થી 2016 સુધી જામનગર જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હોય શહેરના તેમજ જીલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે જીવંત સંપર્કો સતત ધરાવે છે,
દીગુભાની ઉમર નાની છે પણ વિચારોમાં પીઢતાનો અહેસાસ જોવા મળે છે,ભાજપના અઢી દાયકાના શાશન પર ચાબખા મારતા કહ્યું કે અઢી દાયકામાં કેટલી સમસ્યાઓનું નિરાકરણ થયું તે સૌ જાણે છે ત્રણ લાખ જેટલા લોકોનો જે નવો વિસ્તાર મનપામાં ભાળ્યો છે તેની હાલત કફોડી છે તેને સુવિધાસભર બનાવવા દિગુભા ખાસ જહેમત ઉઠાવવા છે તેવી તેમને સૌ નાગરીકોને ખાત્રી આપી છે.
-દિગુભાએ કપરા સમયમા નિસ્વાર્થ ભાવે કરી છે માનવસેવા
જાડેજા વિરેન્દ્રસિંહ ટેમુભા જેને સૌ કોઈ દિગુભાના નામથી ઓળખે છે, નાની વયેં યુવાનોની સેવાભાવના ગુણ સાથે છેલ્લા 10 વર્ષની યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય છે, જાડેજા દગુભા રાજકીય ક્ષેત્રે બેં-બે વખત જામનગર શહેર અને જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપેલ છે. અને 38 વર્ષ ની ઉંમરે જામનગર શહેર કોંગ્રેસની જવાબદારી નીભાવે છે. સામાજીક ક્ષેત્રે રાજપૂત સમાજના સર્વ કાર્યમાં તત્પર રહે છે. કોરોના કાળમાં વોર્ડ-2 ના આખા વિસ્તારને સ્વખર્ચે સેનીટાઈઝ કરેલ તેમના હોમીયોપેથી દવાઓનું વિતરણ તેઓ દ્વારા કરેવામાં આવેલ હતું. વરસાદી આફતમાં પણ “જનતાની ખભે ખભો મીલાવી નીચાણવાળા વિસ્તારમાં બચાવ કામર્ગીરી કરેલ છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષ દ્વારા દિગુભા જાડેજા મેદાને છે, અને શહેરના પ્રશ્નો સાથે આ વિસ્તારની પણ તેવો સેવા કરવા માંગે છે, કાયાપલટ કરવા માંગે છે, અને તેવો મતદારોને અપીલ કરતા કહે છે કે આપના એક મત દ્વારા ચૂંટાયા બાદ આપને સરકારી કામોમાં પડતી તકલીફો દુર કરવા માટે હું હરહમેશ આ વિસ્તારના લોકોની સાથે જ રહીશ તેવો કોલ તેમને પ્રજાને આપ્યો છે.
-ઇતિહાસ સર્જશે દિગુભા એટલે કે વિરેન્દ્રસિંહ
મહાનગરપાલીકાની ચુંટણીમાં વોર્ડ 2 ની કોંગ્રેસના શહેર કોંગ્રેસ દિગુભા જાડેજા લડાયક ઉમેદવારોના કારણે આ વોર્ડની પ્રજામાં કોંગ્રેસની બોલબાલા જેવો માહોલ ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યાં છે જયારે દિગુભા જાડેજાનું નામ જાહેર થયું ત્યારે સામી પાર્ટીમાં સોંપો પડી ગયો હતો…આ વોર્ડની પ્રજા આ વખતે પુનરાવર્તન નહીં માત્ર ને માત્ર દિગુભા જાડેજાને તક આપવાના સંકલ્પ સાથે પરિવર્તન માટે સંકલ્પબદ્ધ બની ગઈ છે અને એવું દેખાય છે કે વોર્ડ નં. 2માં કોગ્રસ ઈતિહાસ સર્જી શકે છે.વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર દિગુભા જાડેજા છેલ્લા 10 વર્ષથી યુવાનો, વિધાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે મર્દાનગીથી લડયા છે,