Mysamachar.in-સૌરાષ્ટ્ર:
હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા હજુય મંદીનો મારે સમગ્ર અર્થતંત્રને થંભાવી દીધુ છે, અને જુદા-જુદા સેક્ટરમાં ઘરાકી નીકળી તેવા પ્રચાર પ્રસાર અને સંદેશાઓ વહેતા કરવા છતાય માર્કેટમા કરંટ આવતો નથી છતાય હજુય આજે અને આવતીકાલે એમ બે દિવસ બજારમા સાચી ઘરાકી નીકળવાનો આશાવાદ જીવંત છે, એવુ કહેવાય છે કે બાર મહિનાના પરબે તો માણસ નવી વસ્તુ લે સુશોભન માટે વસ્તુ લે નવા કપડા લે ઇલેક્ટ્રોનીક્સના યુગમા નવા ફોન, લેપટોપ, વગેરે કોઇ ફર્નિચર લે કલરકામ અને કડીયા કામ કરાવે અનેક પ્રકારે ખર્ચ કરે પરંતુ આ વખતે દિવાળીનો માહોલ જ નથી બનતો,..
આ વર્ષ 2020 ભારે છે તેવી ચર્ચા ગત વર્ષના અંતથી લોકો કરતા હતા તેવુ જ થયુ વર્ષની શરૂઆતમા કોરોનાના અણસાર છુટાછવાયા હતા તે માર્ચમા ગંભીર બની જતા આ રોગચાળાએ તો માજા મુકી અને રીતસર તબાહી મચાવી દીધી છે લાંબા સમય સુધી કળ વળે તેમ નથી, આ બિમારી લોકોના સંપર્કથી ફેલાતી હોઇ અવર-જવર, ધંધા ઉદ્યોગ, પરિવહન બધુ જ બંધ કરવામાં આવ્યુ અને ત્રણ થી ચાર માસમા તો આ બિમારીએ લોકોને હેરાન તો કર્યા અનેકએ સ્વજન ગુમાવ્યા સાથે જ સમગ્રપણે ઉત્પાદન વેચાણ જાણે થંભી ગયા હોઇ માર્કેટમાંથી પૈસા જ ગાયબ થઇ ગયા…
શાળા, કોલેજો, દવાખાના, શો રૂમ નાના-મોટા કારખાના, ઉત્પાદન યુનિટ, હોટલ રેસ્ટોરન્ટ રેલવે બસ પ્લેન ખાણીપીણીના સ્ટોલ, કેબીન રેકડી, કાપડ માર્કેટ, વાસણ માર્કેટ, દાણાપીઠો જ્વેલરી માર્કેટ, ઓટો સેક્ટર, રિયલએસ્ટેટ, મટીરીયલ સેક્ટર , ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનીકસ ઘર માટેના ઉપકરણોના સેક્ટર મેન્ટેનન્સ અને રિપેરીંગ સેક્ટર, ગીફ્ટ સેક્ટર, સિનેમાઘર, હેલ્થ સેન્ટર વગેરે ઘણુ બધુ લાંબો સમય બંધ રહ્યુ..
આ દરેકમા કામ કરનારને પગાર ન મળ્યા અથવા તો સામાન્ય રકમો મળી અથવા તો છુટા કરવામા આવ્યા અનેક બેરોજગાર બન્યા માટે આર્થિક રોટેશન અટકી પડ્યુ અને જ્યારે સાઇઠ ટકા લોકો ખાનગી નોકરી ધંધામા હોય તેમને ફટકો પડતા ખોરાક સહિતની રોજબરોજની જરૂરિયાતને પહોચી વળવુ મુશ્કેલ બનતા બીજા ખર્ચા તો ન જ કરી શકે તે સ્વાભાવિક છે, આ બેકારીએ ધમધમતા નગરોની કમર તોડી નાંખી હા વેચાણ ઉત્પાદન માંગ ઘટતા નાના મધ્યમ મોટાવેપારીઓ કારખાનેદારો ભીંસ અનુભવવા લાગ્યા તો વળી દેખીતુ છે રીયલ એસ્ટેટ ક્ષેત્રમા તો મંદી આવી જ જાય કેમકે લોકો રોજબરોજના ખર્ચ પુરા ન કરી શકે તો મીલકત દર દાગીના ક્યાથી લઇ શકે??
થોડી ઘણી હજુય જોકે આશા એ છે કે ખેતીવાડીકા ઉત્પાદન સારૂ છે અને રવિ પાકનુ વાવેતર સારૂ છે માટે આગામી દિવસોમા થોડો સમય અને માંર્ચ આજુબાજુ થોડી તેજીનો સળવળાટ થઇ શકે છે પરંતુ કોરોના ફરી માથુ ઉચકશે તો એ આશા પર પણ પાણી ફરી વળશે કેમકે લોકો ખુબ જ નાણાકીય ભીડમાથી નીકળ્યા હોય જો પૈસા હોય તો પણ બચાવવામા લાગ્યા રહેશે તે પણ વાસ્તવિકતા છે, અરે ત્યા સુધી કે પ્રસંગોમા મર્યાદીત હાજરીના નિયમથી રોનકો ન આવી અને લગત વેંચાણમા પણ મંદી આવી ગઇ જુદી-જુદી પાર્ટીઓ બંધ રહેતા તેથી પણ મંદી આવી દરેક ક્ષેત્ર બંધ રહેતા વેચાણ ખરીદીની સાયકલ ખોરવાઇ ગઇ જે સરભર થાય તો છ મહિનાથી વધુ સમય લાગી જાય તે પણ બધુ જ ધમધમતુ થાય તો જ શક્ય બની શકે છે,
સરકારી મીટીગો કાર્યક્રમો વગેરે બંધ જેવા અને ટેકનોલોજી આધારીત બનતા સંલગ્ન બિઝનેશ ન થયા તો ઉપરથી ગ્રાન્ટ સહાય ઠપ્પ થયા હોઇ તેને લગત મોટાભાગના કામો બંધ રહ્યા છે જે જુજ ચાલે છે તેવા પ્રોજેક્ટ ના પેમેન્ટ ની ચિંતા રહે તેવી નાણાકીય કટોકટીમા સરકારો છે જે બે વર્ષ સુધી નવી યોજનાઓ શક્ય હોયતો હાથ ન ધરવા સુચના આપે છે આ દરેક ભીંસ લંબાતી રહી અને હજુ રાબેતા મુજબ થાય તો પણ રોનક આવતા ઘણો સમય નીકળી શકે છે આ દરેકભીંસ વચ્ચે ઇન્ફર્મેશન ટેકનોલોજી નો જાણે યુગ આવ્યો તેમ ટેલીફોન મોબાઇલ ઇન્ટરનેટ વાઇફાઇ લેપટોપ ટેબલેટ સુવિધાજનક સંદેશા વ્યવહાર વગેરે ક્ષેત્રમા લોકોનો ખર્ચ વધુ રહ્યો છે
-લોકોની આંખો ઉઘડી જતા જરૂરિયાતો ઘટી
સામાન્ય રીતે રોટી કપડા મકાન એ માણસની બૈઝીક જરૂરીયાત છે, પરંતુ દેખાદેખી અને આધુનિકતાની હોડમા લોકોની જરૂરિયાત જાણે અજાણે વધવા જ લાગી જે બાદ કોરોનાકાળમા લોકોની આખો ઉઘડી ગઇ કે ઘણાખરા ખર્ચ ખોટા મોજ શોખ જરુરી નથી માટે મેળાવડા હોટલ પાર્ટી ગેધરીંગ ખરીદીઓ વગેરે ઓછા થઇ જતા જોવા મળે છે, વળી કોરોના કાળમા લોકો ઘરમા વધુ રહ્યા માટે જરૂરિયાતો સિમિત થતી ગઇ ધીમે-ધીમે આવક ઉપર પ્રતિબંધ કે અંકુશ લાગતા આમ પણ ખોટા ખર્ચ ઘટી ગયા છે , અને બને ત્યા સુધી ચલાવી લેવાની દિશામા ઘણાખરા લોકો વળતા જાય છે
-ગીરદી એટલે વેંચાણ ધંધા વધ્યા એવુ નહી
બજારમા ઘણી વખત આભાસી ગીરદી દેખાય હાથમા થેલી લઇ શાકમાર્કેટમા ફરતા લોકો સસ્તુ શાક શોધતા હોય અને ઘણીવાર માત્ર ચક્કર લગાવી અથવા સાવ નજીવુ લઇ નીકળી જાય કરિયાણા બજારમા ભાવતાલ કરવા જાય રેકડીબજારમા ચીજ વસ્તુ જોઇ નજીવો ભાવ હોય તો કંઇક ખરીદે સોની બજારમા શુ વેરાયટી છે કાપડ બજારમા શુ વેરાયટી છે મોલ તેમજ રાચરચીલા માર્કેટ વગેરે જોવા જતા હોય માટે જે ગીરદી એટલે ઘરાકી જ એવુ નથી કેમકે લોકો જરુરી હોય બજેટમા હોય તો જ ખરીદી કરવાની દિશામા આગળ ધપી રહ્યા છે, અને જીવનની પદ્ધતિ બદલી છે,
-બહારનુ જમવાનુ બંધ અરે ચા-પાણીના ધંધામા પણ ઓટ…હા..ફ્રુટ લીલોતરી અને આયુર્વેદિક દવાના વેચાણ વધ્યા
બિમારી વકરતા બહાર ખાણી-પીણી બંધ હતી બાદમા પણ શરૂ થયેલા આ ક્ષેત્રના ધંધામા ઓટ જ રહી કેમકે લોકો આરોગ્ય પ્રત્યે જાગરૂત થયા હોઇ બહારની ખાણીપીણીના ધંધામા પચાસ ટકા ઓટ આવી ગયાનુ હોટલો રેસ્ટોરન્ટોના સંચાલકો જણાવે છે, આમેય અઠવાડીયે એક વખત બહાર હરવુ ફરવુ ને જમવુ તે તો ઘણુ ગાયબ જ થવા લાગ્યુ છે
-ન છુટકે જ પ્રવાસ અને મહેમાનગતિમા અઘોષીત પ્રતિબંધ
કોરોના કાળમા લોકો બહારગામ તો ઠીક ગામમા પણ ક્યાય કામ વગર સગા સ્નેહીને ત્યા જતા નથી બને ત્યા સુધી બહારગામ પણ જતા નથી માત્ર ફોન કે ચેટથી વાર્તાલાપ કરે છે, એટલુ જ નહી મહેમાન થવા ઉપર તો અઘોષીત પ્રતિબંધ લાગી ગયો હોય તેમ ગામમા કે બહારગામ સમયાંતરે લોકો મળવા કે રોકાવા જતા તે પ્રમાણ ઘટી ગયુ છે, ત્યા સુધી કે સારા માઠા પ્રસંગમા પણ ફોનથી લાગણી વ્યક્ત કરવા લાગ્યા છે
-પ્રવાસ આયોજન ઘટ્યા
એક તરફ આમેય રોગચાળાની મંદીમા વાહનોના ઉપયોગ ઘટતા ટ્રાન્સપોર્ટેશનમા મંદી રહી માત્ર મેડીકલ ટ્રાન્સપોર્ટેશન ચાલતુ રહ્યુ અને જરુરી હોય તો જ લોકો વાહન ભાડે બાંધે છે, તેમા હવે તહેવાર માટે પણ લોકોના લાંબી ટુરના ખાસ આયોજન નથી થઇ રહ્યા કેમકે હજુ સંક્રમણની બીક હોઇ ટુકા પ્રવાસના વધુ આયોજનો થઇ રહ્યા છે લાંબી ટુરમા પચાસ ટકા ઘટાડો છે