Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા એલ.ઈ.ડી લાઈટનો પ્રોજેક્ટ અમલમાં મૂકી અને વાહવાહી લુંટવામાં આવી પણ આ તમામ વચ્ચે વરવી વાસ્તવિકતા એવી છે કે ખરેખર જામનગર શહેરના કેટલાય વિસ્તારોમાં આજની તારીખે પણ અંધારાના દ્રશ્યો છવાયેલા છે. એવામાં મનપાના પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજી દ્વારા વોર્ડ નંબર ૧૨ હેઠળના નગરસીમ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ થી અંધારપટ્ટ જેવી ભયંકર સ્થિતિ હોય છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ના કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આજે અસ્લમ ખીલજી અને સ્થાનિકો દ્વારા મનપામાં આવેલ લાઈટશાખાને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો,
નગરસીમ વિસ્તારમાં કાલાવડનાકા બહાર થી મહાપ્રભુજીની બેઠક સુધી અને કલ્યાણ ચોક થી સનસીટી-2 સુધીનો મેઇનરોડમાં ભારે વરસાદ ના લીધે સમગ્ર રસ્તાઓ નું ધોવાણ થયું હોય અને મોટા મોટા ગાબડાંઑ પડ્યા છે. આવી પરિસ્થિતીમાં મેઇન રોડ પરની સમગ્ર લાઇટો બંધ હોવી એ એક ગંભીર બાબત છે. આ અંધારપટ્ટ ના લીધે ચોરી અને લૂટફાટ ના બનાવો પણ વધ્યા છે. અને આવારા અને લુખ્ખા તત્વો એનો ફાયદો ઉઠાવે છે. જેથી કરી લોકો માં પણ ભય નો માહોલ છે.
નગરસિમ વિસ્તાર ના મેઇન રોડ પર LED લાઇટો નાખવામાં માટે છેલ્લા ત્રણ વર્ષ થી લેખિત મૌખિત તેમજ સામાન્ય સભામાં અનેક વખત રજૂઆતો કરેલ છે. તેમ છતાં પણ તંત્ર અને સતાધીશો દ્વારા પક્ષપાત ભરી નીતિ રાખવામા આવે છે. અમારા દ્વારા જ્યારે પણ LED લાઇટ ની માંગણી કરવામાં આવે છે. ત્યારે તંત્ર અને સતાધીશો દ્વારા હાલ LED લાઇટો નથી તેવું જણાવવામાં આવે છે. પરંતુ એક મહિના પહેલા ગુલાબ નગર થી નુરી ચોકડી અને નુરી ચોકડી થી મહા પ્રભુજી ની બેઠક સુધી 180 LED લાઇટો નાખવામાં આવી આ કામગીરી પ્રશંસનીય છે, પણ આ દર્શાવે છે. કે તંત્ર અને સતાધીશો દ્વારા આ વિસ્તાર પ્રત્યે ખુલ્લો પક્ષપાત રાખવામા આવે છે.અને આજે રોષે ભરાયેલા ત્યાના નગરસેવક અને સ્થાનિકો દ્વારા મનપાની લાઈટશાખાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.