Mysamachar.in-જામનગર:
થોડા સમય પૂર્વે સુરતના ટ્યુશન કલાસીસમાં લાગેલી આગ તો બધાને યાદ જ હશે…અને એ આગની ઘટના બાદ જામનગર સહીત રાજ્યભરની મહાનગરપાલિકાઓનો ફાયર સહિતનો સ્ટાફ ફાયર સેફટીને મુદ્દે દોડતો થઇ ગયો હતો, પણ પાછુ બધું હતું ત્યાં ને ત્યાં હોય તેવી સ્થિતિ થઇ રહી છે, આજે શહેરના સેન્ટઆન્સ શાળાની ગલીમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષના બીજામાળ પર આવેલ એક ઓફીસમાં આગ લાગી હતી, બનાવની જાણ થતા ખુદ ચીફ ફાયર ઓફીસર બિશ્નોઈ પણ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી, પણ આજની આગ તો ઠરી ગઈ પણ આ કોમ્પલેક્ષની નીચે કેટલાય રેસ્ટોરન્ટ, અને ઉપર ટ્યુશન કલાસીસ ધમધમે છે, ત્યારે ના થવાની ઘટના જે દિવસ બની તેના માટે જવાબદાર કોણ તે સવાલ આજની આગ [પરથી ઉઠી રહ્યો છે.
-નીચે રેસ્ટોરન્ટ અને ઉપર ટ્યુશન કલાસીસ નો સમન્વય
આજે જે કોમ્પ્લેક્ષમાં આગ લાગી ત્યાં નીચે રેસ્ટોરન્ટ એટલે કે ખાણીપીણી ની દુકાનો ચાલે છે, એટલે ત્યાં તો ગેસની જરૂર પડે જ,..અને ઉપર ટ્યુશન કલાસીસ ચાલે છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ…
-કોમ્પ્લેક્ષના અમુક ભાગો ની કાયદેસરતા પણ પણ સવાલ
સુત્રો માહિતી આપતા કહે છે કે આ કોમ્પ્લેક્ષનો અમુક ભાગ મનપાની બાંધકામની જરૂરી મંજુરી વિના જ ચાલે છે,જેમાં પણ દુકાનો અને અન્ય ઓફીસો કાર્યરત છે, ત્યારે શું ત્યાં ટાઉનપ્લાનિંગ અને એસ્ટેટ વિભાની નજર પહોચશે ખરા…
-આજે ફાયર સેફટી સીસ્ટમ માટે નોટીસો આપીશ:ચીફ ફાયર ઓફિસર
આજની આગની ઘટના બાદ ચીફ ફાયર ઓફિસર બિશ્નોઇએ એ જણાવ્યું કે અહી હાલ ફાયર એક્સ્તીગ્યુસર છે, પણ જરૂરી તમામ ફાયર સેફ્ટીના સાધનો માટે આજે નોટીસ આપવામાં આવશે, અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.