Mysamachar.in-જામનગર
ભલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ વર્ષે કરોડો રૂપીયાનું આંધણ મેન્ટેનન્સ માટે કરે પણ તેનું પરિણામ શૂન્ય હોય તેવું જ લાગે કારણ કે આજની તારીખે પણ શહેરના કેટલાય વિસ્તારો એવા છે કે જેમાં કલાકો સુધી વીજકાપ હોય અથવા ફોલ્ટ થવાને કારણે શહેરીવિસ્તારમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય તો ગ્રામીણ વિસ્તારોની તો વાત જ શું કરવી..? શહેરના કાલાવડ ગેઇટ બહાર વિસ્તારના સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા બે દિવસથી વીજળી ગુલ થઇ ગયાની પરિસ્થિતિ વચ્ચે લોકોને હાલાકી ભોગવવી પડે છે, સિલ્વર પાર્ક સોસાયટી, ગ્રીન પાર્ક વિસ્તારોમા રાત-દિવસ વીજળી ગુલ થતા ભારે ઉકળાટ વચ્ચે લોકોની સ્થિતિ કફોડી બની છે, હલકી ગુણવતાના TC ને કારણે વારંવાર ફોલ્ટ સર્જાતા કોઈ કર્મચારીઓ રાત્રીના રીપેરીંગ માટે પણ ન આવતા હોય ત્યારે આ વિસ્તારના સ્થાનિકોનું ચોમાસા માં શુ થશે ?
ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન જામનગરના સ્થાનિકો વીજળી ની સમસ્યા ને લઈને PGVCL કચેરી ખાતે દોડી હોબાળો મચાવ્યો હતો, અને રાત્રી દરમિયાન ધરણા પર લાલ બંગલા PGVCL કચેરી ખાતે બેસી ગયા હતા… ત્યારે હાલ પણ એવી જ સ્થિતિ શહેરના સિલ્વર પાર્ક સોસાયટી અને ગ્રીન પાર્ક વિસ્તારની છે… સ્થાનિક લોકો હવે આંદોલન નો માર્ગ અપનાવે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરે તો નવાઈ નહિ….