Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોના બે કિસ્સા બહાર આવ્યા ત્યારે જાણકારોમાં ચર્ચાઓ છે કે આવા તો અનેક કિસ્સાઓ હશે જ્યા ભ્રષ્ટાચાર અને વ્યભિચાર પાળવામા આવતા હશે કે પોષવામાં આવતા હશે અને તેની પાછળ ક્યાક લાલચ ક્યાક મજબુરી ક્યાક દબાણ ક્યાક શોખ ક્યાક બીજા પણ કારણો હોય શકે છે તેવુ જાણકારો માને છે, જામનગર શહેરમાં ખંભાળીયા નાકા બહાર થોડા સમય પહેલા બે વિજાતીય પાત્રો જે શિક્ષણ ક્ષેત્રના જ હતા તેમના વચ્ચે માંડ-માંડ સમાધાન ન થયુ હોત તો તે મામલો અને ઓડીયો વધુ ચગી શક્યા હોત તો તેવીજ રીતે ખાસો સમય વીતવા છતા તાજો લાગે એવો કિસ્સો શૈક્ષણીક ક્ષેત્રના ખુબ મોટા પદના વ્યક્તિનો છે માટે તાજો લાગે છે અને એટલા માટે લાગે કે સ્ટાફની ખુબસુરત યુવતિને મોહપાશમા એવી જકડી કે તેણી પરણિતા હોવા છતા આ બેવડી ઉમરના સાથે સુંવાળી સેજ માણતી અને બે સંસાર પણ વેર વિખેર કર્યા હતા,
આવા કિસ્સાઓ જોવા બેસીએ તો પેલી શાયરીની ઉક્તિ છે ને કે….” બહુ અંગત અંગત નામ હતા…..” તેમ ખુબ જાણીતા નામો નીકળે તેમાં ખાનગી કે સરકારી કચેરીના બોસ કે એવી કેડરના કે રંગીન કે ખર્ચ કરી જાણનાર પુરુષ હોય અને સ્ટાફના મજબુર ક્યાક લાલચમાં ક્યાક પરિણામ ની ગંભીરતા વગર ફસાયેલ સ્રી પાત્ર હોય અને વ્યભિચાર આકાર લેવા મંડે ક્યાક અમુક પારિવારીક પરિચય ક્યાક આડોશ પાડોશ ક્યાક શૈક્ષણીક કે અન્ય સંસ્થાઓમા ક્યારેક ક્યારેક અમુક કિસ્સાઓ બનતા હોય સમાજમા જાણ પણ હોય છાને ખુણે ચર્ચાઓ પણ હોય પરંતુ ઘણી વખત આ સામાજીક દુષણ ગણાતી બાબતો એટલી ગતિએ ખુબ આગળ જ ધપતી રહે છે કે તેમાં વધારો થાય છે ઓટ નથી આવતી ઘણી વખત તો ઉંમરના બાધ વગર સામાજીક સ્તરના બાધ વગર ગામ શહેર કે વિસ્તારના બાધ વગર આવો વ્યભિચાર ચાલ્યા જ રાખે છે,
અરે ત્યા સુધી કે અમુક તો પરણી ગયા બાદ પણ જુના “સુંવાળા” સંબંધને પ્રાધાન્ય આપે છે કાંતો આપવા પણ પડે છે, હાલના સમયમાં સજી ધજી નીકળનાર સૌમ્ય દેખાતા સજ્જનતાનો ડોળ કરનાર ઘણી મોટી જવાબદારીઓ સંભાળનાર કોઇ કોઇ જાહેરજીવનમા આગળ ધપેલા કે કોઇ ધનાઢ્ય કે કોઇ આકર્ષક કે કોઇ કંઇક ઘણુ કરી શકનાર સક્ષમ વગેરે ડાયરેક્ટ કા તો ઇન્ડાયરેક્ટ જરૂરી શિકારનો શિકાર કરી જ લે છે અમુક શિકાર મોજ અને લાભ બંને લે છે અમુક શિકાર થોડા આગળ જતા મજબુરીના સ્વરૂપમા કે દબાણ હેઠળ આવી ગયેલા સમજી મુંઝાતા હોય કે અકળાતા હોય ઘણી વખત તો મારામારી હુમલા હત્યા પ્રયાસ હત્યા જેવા બનાવો પણ બનતા રહે છે એ સિવાય ક્યાક-ક્યાક બ્લેક મેઇલીંગ પણ ખુબ જમાવટ કરી જાય છે સમજણ ના અભાવથી શરૂ થઇ જાગૃતિ આવે ત્યા સુધીમાં તો દૂર નીકળી જવાયુ હોય ને થોડો વખતની મોજ બાદમા પીડાદાયક પણ બને તે તો ભોગ બનનાર જ જાણતા હોય અને ખુબીની વાત એ છે કે આવા “એકરસ” થયેલાઓને કોઇ શિખામણ આપવા જાય તો પાછા વળતા નથી અટકતા નથી અને ક્યારેક ક્યારેક બાદમાં અફસોસ પણ જતાવતા હોય તેવા કિસ્સાઓ પણ બનતા હોય છે.
સંસ્કાર મર્યાદા શાલીનતા સભ્યતા યોગ્ય સમયે જરૂરી રક્ષણ અને સમજણ વગેરે બાબતો તેમજ જરૂરીયાતો મર્યાદીત રાખવાની સાથે દેખાદેખીથી દૂર રહીને પરિપક્વતા કેળવીને કે અગણીત અણબનાવોમાં થી શીખ મેળવી આવી બાબતોથી બચી શકાય છે પરંતુ બચવા માંગે તો બાકી તો પાછુ વાળી ને જોય નહી તેવી સ્થિતિ વધુ જોવા મળે છે જે હાલના સમયની કરૂણતા છે તેમ સમાજશાસ્રીઓનો અભ્યાસ છે જામનગર તાલુકાના ધુતારપુર ગામે ખાનગી શાળાના કહેવાતા સંચાલક દ્વારા શાળાની શિક્ષીકાનો નિવસ્ત્ર ફોટા વાયરલ કરવાના ચકચારી પ્રકરણ બાદ કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય શાળામાં મહેફીલ કરતા હોવાથી માંડીને ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરી શાળાનો ભંગાર વેચી મારીને સ્કૂલની બાળકીઓ પાસે સફાઇ કામ કરાવતા હોવાની ગ્રામજનોની આક્ષેપો સાથે વ્યાપક ફરિયાદ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી કોઇ પગલા ભરવામાં ન આવ્યા હતા પરંતુ ઠોસ રજુઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસમાં આચાર્યના ઘણા કારનામાનો ભાંડાફોડ થતા પ્રાથમિક શાળાના આચાર્યની અનેક કરતુતો સામે બહાર આવતા શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો હતો
શાળામાં બહારથી અસામાજીક તત્વોને શાળામાં આમંત્રણ આપીને ઓફિસમાં મહેફીલ કરવાથી માંડીને ગ્રાન્ટના પૈસાનો દુરઉપયોગ કરે છે. સફાઇની ગ્રાન્ટ હજમ કરીને શાળાની બાળકીઓ પાસે સફાઇ કરાવે છે તેવો વીડીયો ગ્રામજનોએ ઉતાર્યો છે તેમજ બી.એલ.ઓ.ની કામગીરીમાં ચૂંટણી કાર્ડ વગેરે માટે પૈસા માંગવાથી માંડીને નવી શાળાનું નિર્માણ થયેલ હોય જુની શાળાનો ભંગાર વેચી નાખવામાં આવતો હોવા સહિત ગંભીર ફરિયાદ ઉઠવા પામી હતી. આ મામલે અંતે ગ્રામજનોએ નિકાવા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય જે.પી. મારવીયાને જાણ કર્યા બાદ જે.પી. મારવીયાએ ડી.ડી.ઓ. પ્રાથમિક શિક્ષણાધિકારી ડોડીયાને ફરિયાદ કરી સામાન્ય સભામાં પ્રશ્ર્ન મુકયો હતો અને શાળાના આચાર્યની ગેરરિતી મામલે તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવતા આચાર્ય સામે 10 ગંભીર આક્ષેપોનો સ્ફોટક ખુલાશો થયો હતો. આમ તપાસ કમિટીમાં આચાર્ય સામે પંચોની હાજરીમાં ગેરરિતી થયાનું ખુલતા આ શિક્ષકની બદલીની માંગણી કરવામાં આવી છે. ત્યારે પ્રાથમિક શિક્ષણાધિકારી શું પગલા ભરે છે તેના પર ગ્રામજનોની નજર છે.