Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીને અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાની ખબર પત્નીને પડી જતા પત્નીએ પતિ મારફત મહિલાને સમાધાન માટે બોલાવી અને મારઝુડ કરી અને અન્ય અજાણ્યા શખ્સે અડપલા કર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે, પોલીસ હેડ કવાટર પાછળ વસવાટ કરતી જાગૃતિ (નામ બદલાવેલ છે)તે તેના પતિ અને ચાર વર્ષીય પુત્ર સાથે રહે છે અને ઘરકામ કરે છે, અને તેણીનો પતિ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે, જાગૃતિએ ગત તા: 16/10/2020 ના રોજ જામનગર સીટી સી પો.સ્ટે માં સંગીતાબેન અજયસિંહ તથા સંગીતાબેનનો ભાઈ હર્ષ અને એક અજાણ્યા માણસ વિરૂધ્ધ IPC કલમ: 452 354 323 504 506(2) 114 મુજબની ફરીયાદ નોંધાવેલ હતી તે અંગે આ લોકો જાગૃતિ પર રાગદ્વેષ રાખતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
એવામાં બે દિવસ પૂર્વે જાગૃતિ તથા તેનો દિકરો પુજન બંને જણા ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના સુમારે અજયસિંહ રણજીતસિંહ ચૌહાણ જે જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને પોલીસ હેડ કવાટરમાં રહે છે તેનો મોબાઈલ ફોન આવેલ કે તમે મારા પત્ની વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ કરેલ તે અનુસંધાને મારી પત્ની તથા હુ તમારા ઘરે તમારી પાસે માફી માંગવા આવીયે છીએ તેમ મને કહેતા મે કહેલ કે, તમો મારા ઘરે નહી આવતા હુ ખોડીયા૨ મંદીરે આવુ છુ ત્યાં આપણે આ બાબતે વાત કરીશુ તો અજયસિંહે કહેલ કે એવુ હોય તો હું તમારા પતિ વિશાલ સાથે વાત કરી લઉ તો મે આ બાબતે વિશાલ સાથે વાત કરવાની ના પાડેલ ત્યારબાદ જાગૃતિને ખોડીયાર મંદીરે બોલાવેલ અને ત્યાંથી રણજીતનગર ખાતે ગયેલા…
જ્યાં એજયસિંહની પત્ની સંગીતાબેન તથા એક અજાણ્યો માણસ હાજર હતા તે વખતે અજયસિંહે જાગૃતિને પગે પડી માફી માંગેલ કે હું મારી પત્ની વતી તમારી માફી માંગુ છુ તેમ કહેતા આ વખતે અજયસિંહના પત્નીએ અજયસિંહને કહેલ કે આ તારી રાખેલી છે માફી શેની? તેમ કહી જાગૃતિનું બાવડું પકડી અને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો કાઢી અને આ અજાણ્યો માણસે પકડીને ઢસડેલ અને શારીરિક અડપલા કરેલ અને આ મારઝૂડને કારણે જાગૃતિને ઈજાઓ પણ પહોચી હતી, વધુમાં અજયસિંહની પત્ની સંગીતાબેને જાગૃતિને કહેલ કે, તને આવા બધા શોખ હોય તો મારી પાસે ઘણા માણસો છે તેવુ કહી ગાળૉ બોલી અને મારકુટ કરેલ અને કહેલ કે તે અમારા વિરુધ્ધ ફરીયાદ કરે છે તે ફરીયાદ તુ પાછી ખેચી લેજે નહીતર પછી તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ અને મને ગોંધી રાખેલ હતી.
ત્યારબાદ અજયસિંહે મને વચ્ચે પડી છોડાવેલ અને અજયસિંહે તેની પત્નીને કહેલ કે તુ અહીથી ચાલી જા… આ જે તે કરેલ છે તે બરાબર નથી તેવું કહેતા સંગીતાબેન તથા અજાણ્યો માણસ ભાગી ગયેલ હતા. આ સમગ્ર બનાવનું ટૂંકમાં કારણ જોઈએ તો અજયસિંહની પત્ની સંગીતાબેનેને જાગૃતિ તથા અજયસિંહ વચ્ચે આડા સંબંધ હોય તેવા ખોટા આક્ષેપ કરતી હોય અને તે બાબતે અગાઉ સી ટી સી પોસ્ટેમા ફરીયાદ કરેલ જેનુ મનદુખ રાખી અને તેના ઘરે સમાધાન માટે બોલાવતા અને ત્યા જાગૃતિને સંગીતાબેને પકડી મારકુટ કરી ભુંડા બોલી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી અજાણ્યા માણસે ઢસડી અને શારીરિક અડપલા કર્યા મતલબની ફરિયાદ નોંધાતા આ ગુન્હાની આગળની તપાસ પી.આઈ.ગઢવી અને ASI ઘનશ્યામસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.