Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકની ચુંટણીના આજના પરિણામ પરથી તારણ નીકળે છે, વિખેરાયેલી કોંગ્રેસ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની ફોર્મ્યુલા ચાલી ગઇ સફળ રહી અને જે ઉમેદવાર પસંદગી થઇ ત્યારે ભાજપના ઘણાયની છાની રીસ હતી પરંતુ ભાજપની પ્રચંડ બહુમતીથી મો બગાડનારાઓને લપડાક લાગી છે, એક તરફ લોકો નરેન્દ્ર મોદીને જોઇને જ મત આપતા હોય છે તો બીજી તરફ જે લોકો હાર્યા છે તેના માટે પ્રજાએ સંદેશ આપ્યો કે લોકો વચ્ચે નહી રહો અથવા છાપ સારી નહી હોય અથવા પોતાના ફાયદા માટે પક્ષ બદલવાની રમતો વગેરે બહુ મોટા વર્ગની જાણમા હોઇ લોકોનુ હિત વિચારનારાને જ મત મળે તે પાકુ થયુ છે,
શહેર ભાજપ સંગઠન મિનીસ્ટરો સાંસદ ગ્રામ્ય ધારાસભ્ય અને ઉમેદવારો આગેવાનો કાર્યકર્તાઓ સૌની મહેનતનુ અને વિકાસની રાજનિતીની લોકપ્રિયતાનુ આ ઉદાહરણ છે, અને લોકોને વિકાસ જોઇએ છે. માટે સતાપક્ષના સૌએ પાર્ટી અને પબ્લીક તરફથી તક જોતી હોય તો લોકો વચ્ચે રહી લોકોના કામ કરવા પડશે કેમકે જીત્યા પછી જવાબદારી વધે છે, કોર્પોરેશનમા ખાસ કરી છેલ્લા અઢી વર્ષમા સ્ટેન્ડીંગ કમીટીએ નોંધપાત્ર વિકાસ કામો મંજુર કર્યા તે પણ ભાજપની જીતનો મહત્વનો હિસ્સો છે, તો સાંસદ ધારાસભ્યો સંગઠન સૌની એકતા સાથે કમળ તરફ લક્ષ્ય રહ્યુ જે પ્રચારમા દેખાયુ તેમજ 2015 ના પ્રમાણમા વધુ મહેનત સૌની હોઇ ગત વખત કરતા 12 બેઠક વધુ મળી છે હવે સાચો પ્રજાનો વિશ્વાસ ટકાવાનો છે.