Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં લાંબા સમય બાદ ફરી એકવખત કોલસા કૌભાંડ સામે આવ્યું છે, થોડા વર્ષો પૂર્વે પણ રાજકીય આકોઓના પરિવારજનો અને ટેકેદારોને સંડોવતું એક મોટું કોલસા કૌભાંડ પણ પોલીસે પકડી પાડી અને આરોપીઓને જેલભેગા કર્યા હતા, ત્યાં જ જામનગરના સિક્કા પોલીસમથકમાં હલકી ગુણવતાના કોલસા ધાબડી દેવાના કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે, સિક્કા દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા સ્વીસ સિંગાપુર નામની કંપનીને 60 દિવસમાં 12000 ટન કોલસો આપવાનો કોન્ટ્રાકટ કરવામાં આવેલ જેથી કંપની દ્વારા શિપ મારફતે કંડલા પોર્ટ ખાતે કોલસો મંગાવવામાં આવેલ છે, અને ત્યાંથી ટ્રક મારફતે જામનગરના સિક્કા નજીક આવેલ કમ્પનીમાં પહોચાડવા માટે ટ્રાન્સપોર્ટ પેઢીઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે,
કંપની દ્વારા સિમેન્ટના ઉત્પાદન માટે સાઉથ આફ્રિકન આરબી-1 ગુણવતા મીનીમમ ncv arb 5900 કોલસો કંડલાથી મોકલવા કોન્ટ્રાકટ આપેલ પરંતુ આ કોલસાને બદલે હલકી ગુણવતાનો કોલસો ધાબડવાનો પ્રકરણ પોલીસ દફતરે પહોંચ્યુ છે. કંડલાથી કોલસો ભરી અહીં આવતા ટ્રકોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો કોલસો કંપની સુધી પહોચે તે પૂર્વે જ બારોબાર સગેવગે કરી કંપનીમાં ઠાલવવામાં આવતો કોલસો હલકી ગુણવતાનો પહોચાડવામાં આવતો હોવાનું કંપનીને ધ્યાને આવતા કંપનીએ આ મામલે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે,
જામનગર તાલુકાના સિક્કા ગામે આવેલ વર્ષો જૂની દિગ્વિજય સિમેન્ટ કંપનીના કોલ યાર્ડમાં કંપનીના અધિકારીને શક પડતા ચેકીંગ દરમ્યાન કંડલા બંદરેથી આવેલ કોલસાની ગુણવતા નિમ્ન કક્ષાની હોવાનું સામે આવ્યુ હતું. જેને લઇને કંપનીએ છેક કંડલા તપાસ કરાવી હતી. જયાંથી લોડ કરવામાં આવતા જથ્થા વચ્ચે ખુબ મોટો તફાવત નીકળતા કૌભાંડ ચાલી રહ્યાની શંકા કંપનીના અધિકારીઓને ગઈ હતી. જેને લઇને કંપનીના કર્મચારી હરદેવસિંહ ચુડાસમાએ આ બાબતની ખરાઇ કરવા સ્થાનિક પોલીસમાં અરજી કરી હતી..અને તેમાં લેબ રીપોર્ટ સહિતના આધારો જોડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસ બાદ સિક્કા પોલીસ મથકમાં જે ગુન્હો જાહેર થયો છે તેમાં
દિગ્વિજય સિમેન્ટ કંપનીના કર્મચારી હરદેવસિંહએ પોરબંદર જિલ્લાના બોરીયા ગામના ટ્રક ચાલક લક્ષમણભાઇ સરમણભાઇ કોડીયાતર, વીરાભાઇ હમીરભાઇ મોરી રે.આદિત્યાણા તા.રાણા વાવ જી.પોરબંદરવાળા શખ્સો સામે આઇપીસી કલમ 407, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જી.જે.25 યુ 5700, જી.જે.13 એડબલ્યું 2069 અને જજી.જે.25-યુ-8957 નંબરની ટ્રકમાં આવેલ કોલસો ઉચ્ચ ગુણવત્તાની જગ્યાએ નિમનકક્ષાનો હોવાનું સામે આવ્યુ છે. જામનગર જીલ્લામાં ફરી એક વખત કોલસાકૌભાંડ સામે આવ્યું છે ત્યાં શું માત્ર ટ્રકચાલકો પુરતો જ રોલ આમાં હશે કે પછી અન્ય કોઈના દોરી સંચાર અને કોલસામાં હાથ કાળા કર્યાનું ખુલશે કે કેમ .? તે માટે સિક્કા પીએસઆઈ કૌશિક સિસોદિયા સહિતની ટીમો વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે.